________________ વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસમાન, અચિંત્યમાહાસ્યવાળી અને કેવલજ્ઞાનથી અધિષ્ઠિત હોય છે.” પખંડાગમ મહાગ્રંથમાં કહ્યું છે કે - अतिशयपूजार्हत्वाद् अर्हन्तः / स्वर्गावतरणजन्माभिषेक-परिनिष्क्रमण-केवलज्ञानोत्पत्तिपरि-निर्वाणेषु देवकृतानां पूजानां देवासुरमानवप्राप्तपूजाभ्योऽधिकत्वाद् अतिशयानामर्हत्वाद् ગર્દન્ત: | અતિશયો અને સર્વોત્તમ પ્રજાને માટે જે યોગ્ય હોય તે અહંત કહેવાય છે. જગતમાં સર્વ દેવો, અસુરો અને માનવોને જે પૂજા (સત્કાર, સન્માન વગેરે) પ્રાપ્ત થાય છે, તેના કરતાં અનંત ગુણ અધિક ઉત્તમ પૂજા તીર્થકરોને સ્વર્ગથી ચ્યવન, જન્માભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ મહાન પૂજા માટે તેઓ લાયક-યોગ્ય-પાત્ર હોવાથી અહંત કહેવાય છે. વળી ચોત્રીસ અતિશયો માટે પણ ભગવંત યોગ્ય હોવાથી અહંત કહેવાય છે. અતિશય’ શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિંતામણિની સ્વોપજ્ઞ ટીકામાં મળે છે. તે આ રીતે છે : जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशयाः / જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવંતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી-ચડિયાતા હોય છે, તે ગુણોને અતિશયો કહેવામાં આવે છે. આજે અતિશય શબ્દ વધુ પ્રચલિત છે, જ્યારે શાસ્ત્રોમાં આના માટે સેસ - અતિશેષ એવો શબ્દ પણ મળે છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - चोत्तीसं बुद्धाइसेसा पण्णत्ता / ચોત્રીશ બુદ્ધ (તીર્થકર)ના અતિશયો કહ્યા છે. શાંતિસ્તવ (લઘુશાંતિ)માં 1. सनरामरासुरस्स णं सबस्सेव जगस्स अट्टमहापाडिहेराइपूयाइसओवलक्खियं अणण्णसरिसमचिंतमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता / - ન, સ્વા. પ્રા. વિ. પૃ. 42 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 176, 3. સંસ્કૃતમાં 4 ધાતુ ઉપરથી ગર્દન પાદ બન્યો છે. ગર્વ ના અર્થો શબ્દરન મહોદધિમાં આ રીતે છે : લાયક થવું, યોગ્ય થવું. તેથી ગત્ત નો અર્થ પૂજા અને અતિશયોને યોગ્ય એવો કરવામાં આવ્યો છે. 4. કાંડ-૧, શ્લો. 58, સ્વો, ટી. 5. સૂત્ર-૧૪ 3. પંચપ્રતિ. હિન્દી પૃ. 191, ગાથા-૩. પ૪ અરિહંતના અતિશયો