________________ ભગવન્! આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કારને કરનારી છે. લોક એટલે લોકમાં રહેલા વિષ્ણુ, મહાદેવ વગેરે દેવો. તે દેવોથી આ ચમત્કાર ઉત્તીર્ણ છે એટલે કે તેઓ આવો ચમત્કાર કદાપિ કરી શકતા નથી. તેથી આ ચમત્કાર લોકોત્તર છે. આવો ચમત્કાર તે આપના અતિશયો કરે છે. વળી શ્રી વિતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે નાથ ! આપની આ ચમત્કારિક પ્રાતિહાર્યલક્ષ્મીને જોઈને કયા મિથ્યાષ્ટિઓ પણ ચમત્કાર નથી પામતા ? - एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि' / / આ શ્લોકના વિવરણમાં કહ્યું છે કે - “હે નાથ ! આપની આ અલૌકિક પ્રાતિહાર્યલક્ષ્મીને જોઈને સમ્યગ્દષ્ટિ આત્માઓ તો ચમત્કાર પામે જ છે, પણ કયા મિથ્યાષ્ટિઓ (તત્ત્વદર્શન પ્રત્યે વિપરીત દૃષ્ટિવાળા) પણ આશ્ચર્ય નથી પામતા ? - અહીં રહસ્ય આ રીતે વર્તે છે : - તેઓ (મિથ્યાષ્ટિઓ) અજ્ઞાની હોવાથી ભગવંતને વીતરાગ વગેરે રૂપમાં ઓળખતા નથી, તો પણ જગતમાં સૌથી અદ્ભુત આશ્ચર્યકારક પ્રાતિહાર્યોને જોઈને તેઓ અત્યંત વિસ્મયરસ અને આનંદામૃતથી પ્લાવિત થાય છે. તેથી તેઓના આત્મામાં રહેલ મિથ્યાત્વરૂપ ઝેર થોડુંક ઉપશમે છે. તેથી તેઓ બોધિ-સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. અહો ! અદ્ભુત છે સ્વામીની સર્વોપકારિતા.” ભગવંત જેવું ઐશ્વર્ય જગતમાં અન્યત્ર નથી. અનન્યસામાન્ય ઐશ્વર્યનું જ નામ અતિશય. અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતા નથી એવું, કેવળ સમાનતા નથી એટલું જ નહીં, પણ બીજાઓનાં કોઈ પણ જાતના ઐશ્વર્ય કરતાં અનંતગુણ ચડિયાતું. આવું ઐશ્વર્ય તે કેવળ ચમત્કાર માનીને ગૌણ કરવા જેવું નથી. આવું ઐશ્વર્ય - આ અતિશયો અને પ્રાતિહાર્યો તો જગતની સૌથી મહાન પરમ પાત્રતાના અભિવ્યંજ ક છે, એમ શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. એ સૂત્રમાં કહ્યું છે કે - “સંપૂર્ણ જગતમાં જેઓની પાત્રતા સૌથી પ્રવર અને ઉત્તમ હોય છે, તે અરહંત કહેવાય છે. તે પાત્રતા આઠ મહાપ્રાતિહાર્ય 1. વી. સ. પ્ર. 5, શ્લો. 9. 1. અહીં અવતરણચિહ્નમાં તે વિવરણનો અનુવાદ આપેલ છે. મૂળપાઠ આ રીતે છે : इदमत्र हृदयम् / किल यद्यपि तेषामज्ञानपहतत्वेन भगवतो यथावद् वीतरागतादिरहस्यानवबोधस्तथापि भुवनाद्भुतप्रातिहार्यदर्शनाद् विस्मेरविस्मयानाममन्दानन्दपीयूषपानामनागुपशान्तमिथ्यात्वविषाणां भवत्येव વોfમમુહ્મચરો સ્વામિનઃ સર્વોપત્તેિરિ - વિ. . પ્ર. 5. શ્લો. 7, વિવ. અરિહંતના અતિશયો