________________ શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના શબ્દમહાર્ણવન્યાસમાં કહ્યું છે કે, તે મર્દ અક્ષરના પરમેષ્ઠી સ્વરૂપ અભિધેયની સાથે આત્માનો અભેદ-એકીભાવ તે અભેદ પ્રણિધાન છે. તે આ રીતે - કેવલજ્ઞાનરૂપ સૂર્ય વડે પદાર્થોના સમૂહોને પ્રકાશિત કરતા, ચોત્રીસ અતિશયો વડે જેઓનું વિશેષ માહાન્ય જણાઈ રહ્યું છે એવા, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી દિશાઓના ચક્રને અલંકૃત કરતા, ધ્યાનરૂપ દાવાનલથી જેઓએ સર્વ કર્મકલંક સંપૂર્ણપણે ભસ્મસાત્ કર્યા છે એવા, પરમ જ્યોતિસ્વરૂપ અને સર્વ જ્ઞાનના પરમ રહસ્યભૂત જે પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્મા, તેઓનો આત્માની સાથે અભેદ કરીને “સ્વયં દેવ થઈને દેવનું ધ્યાન કરવું', એ પરમ સિદ્ધાંતથી જે સર્વતોમુખી ધ્યાન તે અભેદ પ્રણિધાન છે. આ જે અભેદ પ્રણિધાન છે, તે જ સર્વ વિઘ્નોનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં સમર્થ છે, એમ જ્ઞાનીઓનો સ્વાનુભવ છે. બીજાં ધ્યાનો અસંપૂર્ણ હોવાથી તેવા પ્રકારનું સામર્થ્ય ધરાવતાં નથી. આ જ તાત્ત્વિક ધ્યાન છે. તેથી અમે પણ શાસ્ત્રના પ્રારંભમાં એ જ અભેદ પ્રણિધાન કરીએ છીએ. આ અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે.” શ્રી હરિભદ્રસૂરિ કૃત ખોડ પ્રરમાં કહ્યું છે કે, “સર્વ જગતનું હિત કરનારા, જેઓનાં શરીર આદિના સૌન્દર્યને કોઈ ઉપમા નથી એવા અનુપમ, અતિશયો અને પ્રાતિહાર્યોથી સંપન્ન, સર્વ લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં અતિશયવાળી વાણી વડે દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, ત્રણ છત્ર અને અશોક વૃક્ષની નીચે तस्य 'अर्ह' इत्यक्षरस्य यदभिधेयं परमेष्ठिलक्षणं तेनात्मनोऽभेदः एकीभावः / તથા હિ - केवलज्ञानभास्वता प्रकाशितसकलपदार्थसार्थ, चतुस्त्रिंशदतिशयैर्विज्ञातमाहात्म्यविशेषम्, अष्टप्रातिहार्यविभूषितदिग्वलयं, ध्यानाग्निना निर्दग्धकर्मकलवं, ज्योतीरूपं, सर्वोपनिषद्भूतं, प्रथमपरमेष्ठिनम्, अर्हद्भट्टारकम्, आत्मना सहाभेदीकृतम् / 'स्वयं देवो भूत्वा देवं ध्यायेत्' इति यत् सर्वतो ध्यानं तद् अभेदप्रणिधानम् इति / अस्यैव विघ्नापोहे दृष्टसामर्थ्याद् अन्यस्य तथाविधसामर्थ्याविकलस्य असम्भवात् तात्त्विकत्वादात्मनोऽप्येतदेव प्रणिधेयम् / - શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન-શામદાવચા, ન. વી. સં. વિ. પૃ. રૂદ तदभिधेयेन चाभेदः / वयमपि चैतच्छास्त्रारम्भे प्रणिदध्महे / अयमेव हि तात्त्विको नमस्कार इति / - શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન તત્ત્વપ્રકાશિકા, ન. સ્વા.સં.વિ. પૃ. 36. 2. ન. સ્વા. સં. વિ. પૃ. 296-97. અરિહંતના અતિશયો