________________ વિષય પ્રવેશ—૨ 34 અતિશયો चउतीसअइसयजुआ સ૬-૪/પરિર--સોદા तित्थयरा गयमोहा झाएअव्वा पयत्तेणं / / તિજયપહત્ત સ્તોત્ર ગા. 10. ચોત્રીસ અતિશયોથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યોથી કરાયેલી શોભાવાળા (આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા) અને મોહથી રહિત, એવા તીર્થકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ધ્યેય પાંચ જ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચમાં પણ પ્રથમ ધ્યેય-કેન્દ્ર ધ્યેય અરિહંત જ છે. અરિહંતને જ પરમ પરમેષ્ઠી કહેવામાં આવે છે. સિદ્ધચક્ર આદિ યંત્રોમાં કેન્દ્રપદરૂપે બેય અરિહંતો જ છે. શ્રી જિનશાસનનું રહસ્ય પાંચ પરમેષ્ઠી ભગવંતો છે, જ્યારે પરમ રહસ્ય અરિહંત પદ . તેથી જ તેનો સમગ્ર શ્રુતજ્ઞાનમાં પ્રથમ પદરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના બીજાં બધાં જ પદો એ પરમપદમાંથી જ ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અરિહંત પરમ ધ્યેય છે, તો તેનું ધ્યાન કરવું કેવી રીતે ? અરિહંતરૂપ ધ્યેયનાં સર્વ ધ્યાનોમાં પ્રધાન ધ્યાન કયું? આ પ્રશ્નનો ઉત્તર ઉપરની તિજયપહરની ગાથા આપે છે. અથવા નીચેનાં બધાં જ અવતરણોમાં તેનું સમાધાન છે. 1. પ્રસ્તુત વિષયની પ્રધાનતાને સમજવા માટે આ પ્રકરણ વાંચવું અત્યંત જરૂરી છે. 2. મહા. નવ. પૃ. 258. 48 અરિહંતના અતિશયો