________________ વિષય પ્રવેશ-૧ દેવાધિદેવ ભગવાન મહાવીર તથા સર્વ અરિહંતોના 4 ગુણ (ચાર મૂલાતિશયો) અથવા 12 ગુણો (૪મૂલાતિશયો + 8 મહાપ્રાતિહાર્યો) 4 અથવા 12 ગુણ આરાધના - સાધનાની દૃષ્ટિએ જગતમાં ત્રણ જ તત્ત્વ પ્રધાન છે : દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્વ. સમગ્ર જિનવાણીનો સાર શ્રી નમસ્કાર મંત્ર છે, નમસ્કાર બે પ્રકારનો છે : દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર. શ્રી માનતુંગસૂરિએ નમસ્કાર સાર સ્તવનની નમસ્કાર વ્યાખ્યાન ટીકા નામની ટીકામાં એ બન્ને પ્રકારના નમસ્કાર અને તે બેનો પ્રભાવ સુંદર રીતે વર્ણવ્યો છે. વિશેષાર્થીઓએ તે ત્યાંથી જાણી લેવો. અહીં પદાર્થની દૃષ્ટિએ ભાવનમસ્કાર સમજવા જેવો છે. તેને સમજાવતાં શ્રી માનતુંગસૂરિ કહે છે કે - तथा भावनमस्कारमाह - 'तत्ततियं' - तत्त्वत्रिकं देवगुरुधर्मविषयम्, भावनमस्कारः सम्यक्त्वम् / દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વોને યથાર્થ રૂપમાં જાણીને સમ્યગ્દર્શન ગુણની સ્પર્શનાપૂર્વક જે નમસ્કાર તે ભાવનમસ્કાર છે. અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યું અને છોડ્યું, પણ તે સફળ ન થયું.” 1. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 334-336. 2. ન. સ્વા. પ્રા. વિ. નમસ્કાર વ્યાખ્યાન ટીકા. પૃ. 336. અરિહંતના અતિશયો 42