________________
૩૮
અનક!
જેને ગુરુ ગૌતમે મહાવતના દાન સાથે કેવળજ્ઞાનના કેવા દાન કર્યા, તેં પણ ભાગ્યવાન ! ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા છે. હવે વિહરામિ” ની ઉોષણા કર. - ગુરુદેવ ! વિદાય ! છેલ્લી વિદાય ..સિદ્ધોની ભૂમિ પર વિહાર કરું છું.
મનક ! તું પણ ધન્ય બનીશ અને તેને વિદાય આપી હું પણ ધન્ય બનીશ.
જે ગુરુએ શિષ્યના હિતાર્થે મહાવ્રતના ઉચ્ચારણ કરાવ્યા હોય તે ગુરુ શિષ્યની આધ્યાત્મિક પ્રગતિથી કેટલા ખુશ થાય ! તેમને આત્મા કેટલે પ્રસન્ન બને.
જિનશાસનનું ચારિત્ર અદ્વિતીય અને ચારિત્ર ગ્રહણની પદ્ધતિ પણ અદ્વિતીય અને ચારિત્રના પાલન પણ અદ્વિતીય.
વિહરામિ – હું વિહાર કરું છું આ બેલતાં સમસ્ત સંસારના સમસ્ત બંધનેને ક્ષણવારમાં તિલાંજલિ... વિહરામિ હું માર્ગ પર પ્રયાણ પ્રારંભું છું. વીતરાગના મેક્ષમાર્ગ પર અવિરત – ગતિ એ મારું પ્રસ્થાન શરૂં કરું છું.
વિહરામિ – જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા મારા આત્મરાજ ના ભવ્યમહેલમાં મઝાથી મહાલું છુ.
વિહારામિ – શુદ્ધ અધ્યવસાય દ્વારા ચિત્ત પ્રસન્નતા રૂપ નગરમાં સુખે સંચરૂં છું.
પૂ. શય્યભવસૂરિ મહારાજ અમે પણ ગુપાસે મહાવ્રત સ્વીકાર્યા છે મહાત્મા મનકે વિહરામિ સિંહનાદ કર્યો. અમને પણ એ વિહરામિના સિંહનાદ કરવાની શકિત આપે.