Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ ૨૦૬ ક્ષય તો બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે થાય, પણ અપ્રમત્ત આરાધના દ્રારા તે કપાયની અવસ્થામાં કપાયોને ક્ષીણ બળવાળા કરી દીધા. કષાય મેહનીયને ઉદય હોવા છતાં તે શાંતિનું સામ્રાજ્ય જમાવ્યું. મન અને ભાષા સમિતિ દારા ક્રોધનું મોટું બંધ કરી દીધું. કલેશ વૃત્તિ તારાથી દૂર ભાગી ગઈ. કલેશ રહિત વૃત્તિનાં દર્શન તારા દારા થાય છે. મનક! તારી જીવનવૃત્તિ શા માટે તેને સમજાવું છું ખબર છે? મન મર્કટ છે. ઘડીમાં રાજસિંહાસન પર પહોંચી જાય છે, તો ઘડીમાં નરકની ગોદમાં પહોંચી જાય છે. ચારિત્ર ગ્રહણ કર્યું, પણ અધ્યવસાયો વિચિત્ર છે, કયારેક મન સંસારની દિશા તરફ પણ જુએ, તે તું એમને હુકમ કરજે: રૂક જાવકસે. ગિહવા. ગૃહવાસ ભયપ્રદ છે. નિરૂવકક પરિયાએ. સાધુજીવન અભયપ્રદ છે. તારી વિચારણા, તારું ચિંતન તારા જીવનમાં મંગળ કરશે. સંયમના અનુપમ લાભ સમજાશે. સંસારની દુ:ખદાયકતા સમજાશે. તું શાંતિનો ચાહક? અશાંત સંસારના માર્ગે ગમન નહિ કરે. તું સમતાને ઉપાસક ! મહાશાંત સંયમનો સાધક બનીશ. જીવનમાં આરેહઅવરોહ આવવાના, પતન અને ઉત્થાનના સમય આવવાના. તને જ્ઞાન આપ્યું છે. પતનના નિમિત્તો આવે તેને પ્રગતિનાં નિમિત્તો બનાવ. અવનતિને ઓળંગી જા. જા બેટા જા! સિદ્ધોની સાથે નિવાસ કરે ! તારું પ્રસ્થાન મંગલમય બનો. અભય બનો. ભયસ્થાન અને નિરાશ કરવા, નિરુત્સાહી કરવા નથી બતાવ્યાં, પણ સાવધ રહેવા બતાવ્યાં છે. અભયસ્થાન તને આશાવાદી બનવા દેખાડયાં છે.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281