Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 256
________________ ૪૬. પડિસેય લદ્ધ લખેણે નિક કાર હિમાલયના એવરેસ્ટ શિખર પર આરોહણ કરવા તો ઘણા નીકળ્યા, પણ તેનસિંગ હીલરી જેવા કોઈક જ શિખર સર કરી શક્યા. જે નિષ્ફળ ગયા તેને પૂછજો ભાઈ ! કેમ નિષ્ફળ ગયા ? અરે! શું કરીએ ? ભયંકર બરફ, કઠિન ચઢાણ, પ્રકાશને પણ અભાવ, સહાયક સાધનોનો અભાવ, અમારી મુશ્કેલી અમે જાણીએ. , કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ સફળ વ્યકિતને પૂછજો: તું સફળ કેમ છે? જવાબ એક જ આવશે. હું સફળતાનો સાચો ચાહક હતો. ભાઈ ! તમને ક્યારેય કોઈ અગવડ, વિદન, પ્રતિકૂળતા ન આવી ? સફળ વ્યક્તિ હસીને કહે છે : સફળતા ત્યારે જ મળી જ્યારે અમે પ્રતિકૂળતા સાથે લડી લીધું. મનક! સાધુજીવન એટલે અનુકૂળતાનો ત્યાગ. સાધુજીવન એટલે પ્રતિકૂળતાને સ્વીકાર. તારું દશેય કોઈ તુચ્છ ચીજ માટે હેત, તારા મને રથ સામાન્ય હોત, તો તું હજી પણ જેમ ચાહે તેમ કરી શકત! પણ તારા મનરથે મહાન છે. દીક્ષાને દિવસે કરેમિ ભંતે ઉચ્ચારતાં તું બોલ્યો છે : અપ્પાણ વોસિરામિ. આજ સુધીના મારા પાપમય–આશ્રવમય આત્માને ત્યાગું છું. હવે મારા આત્માને સંવરમય બનાવું છું. આત્માને સંવરમાં સ્થાપવો એટલે શું સમજે છે ?

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281