Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 275
________________ ૨૩૧ મનક! મારા મનક! - સિદ્ધિની સાધના માટે સંપૂર્ણ સદાચારી મન-વચન-કાયા જોઈએ. જેમ વફાદાર સૈન્ય ન હોય, તો સેનાપતિને વિજય ન થાય, તેમ સાધનાની સિદ્ધિ માટે સંપૂર્ણ શુદ્ધ પવિત્ર મન-વચન-કાયા જોઈએ. બસ, અંતરના આશિષ આપું. તું ખુલના ન પામ અને કદાચ ખલના પામે, તે પણ તુરંત સાવધ બની પરાજયને વિજયમાં પલટાવી દે એ જ ચાહના છે. ઓ ગુરુદેવ! મહાત્મા મનક ખલના ન પામ્યા, કારણ આપે તેઓના સંયમરથનું સારથીપણું કર્યું. શું અમારા સારથી ના બને. અમારી ખલના ના નિવારો? પ્રભો! અવજ્ઞા, આશાતના, અનાચારથી અવશ્ય બચાવો. અમારા પણ મન-વચન-કાયાને પવિત્ર બનાવે. એ જ તારક ચરણોમાં નમ્ર વિનંતિ. shith ,

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281