________________
૧૧૧
સફલ હોય - ખામી મારા પુરૂષાર્થની – ખામી મારા સમર્પણની – ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય. સાચો શિષ્ય – ગુરૂવચન સફળ કરવા જ જીવી રહ્યો છું. આહાર કરું કે આરામ કરૂં – અધ્યયન કરું કે આલોચના કરું, તપ કર્યું કે ધ્યાન કરું પણ મારા શિષ્યત્વનો પ્રાણ ગુરૂઆજ્ઞાને સફળ કરવામાં
સમસ્ત સાધકે ગુરૂવચન સફળ કરવાની સાધના કરવાની છે. જેમ આમન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમન્યા વગર સિદ્ધિ ના મળે. આપણે ગુરૂવાચન સફળ કરનાર મહાત્માના શુભાશિષ પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ – તેમની પાસે કાકલુદી કરીએ – ગુરૂવચન સફળ કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે– આપના પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા આશિષ આપે...