________________
૧૬૧
તે ખુદને મળતાં સંયોગે કે વિયોગોમાં પણ હરખ–- ઘેલાકે બેબાકળા બનવાનું નથી, તે વિશ્વના ભાવો જોઈને શું થાય? કંઈ જ નહિ. - મન્યતે નત તત્ત્વ તિ મુનિ પૂ. ઉપાધ્યાય યશોવિજ્ય મહારાજે આ સૂત્ર દ્વારા સાધુ સ્વભાવનું મનહર વર્ણન કરી દીધું છે. જગત તત્વનું મનન ચિંતન કરે તે મુનિ .
જગત્ તત્ત્વોને જોવા દોડ ભાગ કરે કૂદાકૂદ કરે – ઊંચે નીચો થઈ જાય તે મુનિ નહીં
એક વિચારક કહે છે જે જોઈને સાચું માને તે પશુ જે વિચારીને સાચું માને તે મનુષ્ય. પશુ પાસે ફકત જોવાની શકિત છે – માનવ પાસે વિચારવાની શકિત છે – વિચાર જેવી અદ્ભુત શકિતના સ્વામિને આમ કુતૂહલ નાટક ખેલકૂદમાં સમય બગાડવો પાલવે !
પ્રભુના તત્ત્વ જ્ઞાન દ્વારા બધું સમજી ગયો છે–દેવ અને નારક નહિ, પણ ચૌદ રાજલોક મારી મનસુષ્ટિ સામે છે. છ દ્રવ્યના ગુણ અને અનંત અનંત પર્યાયો જાણ્યા છે. પ્રભુના શાસનમાં ચેતન વિજ્ઞાન અને જડવિજ્ઞાનમાં મને એવી રસવૃત્તિ પેદા થઈ છે. આ દુનિયામાં કંઇ જોવા જેવું લાગતું નથી.
મનક ! અકુતૂહલી આરાધક બને છે. આરાધના દ્વારા સદા પૂજય બને. તને અકુતૂહલી બનવા દ્વારા પૂર્ણતાની કેવલજ્ઞાની બનવાના આશિષ આપું છું આત્મસ્વભાવના પ્રગટીકરણના આશિષ આપું છું.
આ છે હિતો પૂ. શય્યભવસૂરિ મહારાજની હાર્દિક ભાવના.
પ્રભ? મોહ અમને સતાવી જાય છે. કોઈવાર મારી પણ જાય છે – અને કઈવાર વિજયી પણ બની અમને કરાવી પણ જાય છે. આગમના અભ્યાસની અભુત જિજ્ઞાસા પેદા થાય તેવા આશિષ આશિષ આપે. નહિતર અમારી કુતૂહલવૃત્તિ શાંત થશે નહિ – મનકને વિજયી બનાવ્યા.અમને તેમના સદ્દભાગી બનાવો એજ વિનંતિ
૧૧