________________
વિજ્ય માટે અમાત્યના સ્પર્શન વિગેરે પાંચ અંગત માણસોને મેકલેલા, પણ સંતોષ કેટલાયને વીણું વીણી નિવૃત્તિ નગરીમાં ધકેલી દેતે. રાગકેશરીને જાણ થતાં એ યુદ્ધમાં ઉતરવા તૈયાર થયા. પિતાજીને વંદન કરી વાત કરી એટલે મહામોહ પોતે યુદ્ધ માટે રવાના થયા. આ એની તૈયારીમો ખળભળાટ છે. સ્પર્શનની બાતમી બોધે મનીષીને જણાવી - મનીષી, બાળ. અને સ્માર્થન.એ ત્રણે મિત્રો ગપાટે ચડ્યાં હતા. લાગ જોઈ મનીષીએ પૂછયું “ભવ્યજતુ સાથે બજે હતું. સ્પર્શને કહ્યું, “સંતોષ” મનીષીને થયું સ્પર્શન સાર નથી. ચેતીને ચાલવા જેવું ખરૂ. અવસરે વાત.
એકવાર સ્પર્શને પોતાની શકિત બતાવવા ધ્યાન–સમાધિનો ડોળ કર્યો અને બંને કુમારોના શરીરમાં પ્રવેશ્યો. એના પ્રતાપે બાળ સ્વએ સુખમાં મગ્ન બની ગયો. માતા અકુશળમાળા એની મૂર્ખતામાં વધારો કરતી ગઈ. મનીષી તે સ્પર્શનને મૂર્ખ બનાવતો . શુભસુંદરીએ પુત્ર મનીષીને સાવધ રહેવા જણાવ્યું.
કર્મવિલાસને સામાન્યરૂપા” નામની રાણી હતી. તેનો પુત્ર મળમબુદ્ધિ હતો. એ પરદેશ ગએલો. પાછો આવ્યો ત્યારે એ પણ સ્પર્શમને મિત્ર બન્યા. મનીધીએ સાવધ રહેવા જણાવ્યું એટલે માતા સામાન્યરૂપાની સલાહ લીધી. “કાલક્ષેપ” કરવા માતાએ કહ્યું અને એ, ઉપર મિથુનયુગલની વાર્તા સંભળાવી.
તથાવિધ” નગરમાં ઋજુરાજાને “ત્રિગુણુ” રાણી હતી. “મુગ્ધ” એમનો પુત્ર અને અકુટિલા પુત્રવધૂ હતી. મુગ્ધ અને અકુટિલા વનવિહારે ગયા અને કુલે ચૂંટવાની સ્પર્ધામાં બંનેએ જુદી જુદી દિશા લીધી. આ વખતે આકાશમાં પસાર થઈ રહેલા વ્યંતર વ્યંતરી આ અન્નેને જોઈ કામાતુર બની ગયા. કાલવ્યંતરે મુગ્ધનું અને વિચક્ષણ