________________
તમને પણ અટકાવી ન શકાય. તો પછી તમારે બંનેએ જ કેવળ ઉત્તમ યુદ્ધથી જ યુદ્ધ કરવું, પણ અધમ યુદ્ધથી નહીં.” આ વાત બાહુબલિએ પણ સ્વીકારી. એટલે સર્વ દેવતાઓ યુદ્ધભૂમિની નજીક આકાશમાર્ગે તે બંનેનું યુદ્ધ જોવા માટે ઉભા રહ્યા. • ભરત ચક્રવર્તીની બલ પરીક્ષા :
બાહુબલીના છડીદારે હાથી ઉપર ચડીને, ઉંચો હાથ કરી, મોટા અવાજે કહ્યું, હે રાજવીરો ! આ યુદ્ધ સમારંભથી નિવૃત્ત થાઓ. દેવતાઓની પ્રાર્થનાથી વંદયુદ્ધનો આરંભ થાય છે, તે તમે દૂર રહીને જ જુઓ.'
તે સાંભળી ભરત ચક્રવર્તીના સુભટો વિચારવા લાગ્યા, આ ત્રણ લોકમાં આપણા સ્વામી સમાન કોઇ બળવાન નથી. પણ આ એક બાહુબલિ બળમાં વધે તેમ છે. તેથી શોકપૂર્વક ચિંતા કરવા લાગ્યા.
આ પ્રમાણે પોતાના સુભટોને ચિંતિત દેખી, ભરતનરેશ્વરે પોતાનું બળ બતાવવા એક મોટો ખાડો ખોદાવ્યો. પછી સાંકળો વડે પોતાની ડાબી ભુજાને બાંધીને ભરત રાજા તે ખાડાની એકબાજુ બેઠા અને કહ્યું કે, તમે સર્વે તમારા સર્વ વાહનોથી અને બળથી મને ખેંચીને આ ખાડામાં પાડી જુઓ. જેથી મારા બળનો નિશ્ચય થાય. એટલે સર્વ રાજાઓ તે રીતે કરીને ભરતનરેશ્વરને વારંવાર ખેંચવા લાગ્યા. પણ ભરત ચક્રવર્તી પોતાનાં સ્થાનથી જરાપણ ચલિત થયા નહીં. પછી ચક્રવર્તીએ પોતાનો હાથ જરાક ખેંચ્યો, ત્યાં તો સર્વ વીરો, વાહન તથા પરિવાર સહિત તે સાંકળ સાથે ખાડા ઉપર લટકી રહ્યા. • ભરત - બાહુબલિનું તંદ્વયુદ્ધ :
પોતાના સ્વામીનાં બળનું આવું માહાસ્ય જોઇ પ્રસન્ન થયેલા તે બધા સુભટો બંને ભાઈઓનું વંદ્વયુદ્ધ જોવા ઉભા રહ્યા. તેઓ બંને પ્રથમ દ્રષ્ટિયુદ્ધની પ્રતિજ્ઞા લઈ એકબીજાની સન્મુખ ઉભા રહયા. અનિમેષ દ્રષ્ટિએ સામ-સામું જોતાં જોતાં ભરત નરેશ્વરનાં નેત્રો અશ્રયુક્ત થઇને મીંચાઈ ગયાં.
પછી વાયુદ્ધ કરવા તૈયાર થયા. આકાશમાં તારા, ગ્રહ, નક્ષત્રોને ત્રાસ આપતો, કલ્પાંતકાળના મેઘના ગર્જારવ જેવો મહા ઘોર સિંહનાદ ભરતચક્રીએ કર્યો. તે સિંહનાદથી પર્વતોના શિખરો કંપવા લાગ્યા, સમુદ્રનું પાણી આકાશ સુધી ઉછળવા લાગ્યું તથા સિંહાદિક પ્રાણીઓ એક ગુફામાંથી બીજી ગુફામાં સંતાઈ ગયા. સૈનિકો મૂચ્છ પામ્યા. આવા ભરતના સિંહનાદ પછી બાહુબલિએ બ્રહ્માંડને ફોડે તેવો સિંહનાદ કર્યો ત્યારે ત્રણે લોક ચેતન રહિત થઈ ગયું. ત્યારબાદ ફરીથી ભરત રાજાએ દુઃસહ સિંહનાદ કર્યો. એટલે બાહુબલિએ પણ ફરી સિંહનાદ કર્યો. એમ વારંવાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૧