________________
અને ભામાને સોગનપૂર્વક કહ્યું કે, હું ત્યાં ગયો જ નથી.” તથાપિ સત્યભામાં “એ તમારી જ માયા છે.” એમ બોલતી પોતાના મંદિરમાં ગઇ. • રૂમિણી અને પ્રધુમ્ન (માતા-પુત્ર)નો સોળ વર્ષે મેળાપ :
અહીં નારદે આવી રૂક્મિણીને કહ્યું કે, “આ પ્રદ્યુમ્ન નામે તમારો પુત્ર છે.” એટલે તત્કાળ પોતાનું સ્વરૂપ અંગીકાર કરી પ્રદ્યુમ્ન તેનાં ચરણમાં પ્રણામ કર્યા. રૂક્મિણીએ તેને બે હાથ વડે આલિંગન કર્યું. પ્રદ્યુમ્ન બોલ્યો, “હે માતા ! હમણાં પિતાની આગળ અને પ્રગટ કરશો નહીં.' એમ કહી માયા વડે રથ વિમુર્તી તેમાં રૂક્મિણીને બેસાડીને તે ચાલી નીકળ્યો. લોકોને ક્ષોભ કરે તેવો તેણે શંખનો નાદ કર્યો અને બોલ્યો કે, “હું આ રૂક્મિણીને હરી જાઉં છું. જો કૃષ્ણ બળવાન હોય તો તેની રક્ષા કરે.” એમ બોલતો બોલતો વેગથી તે નગરની બહાર નીકળી ગયો. “આ કોણ કુબુદ્ધિ મરવા ઇચ્છે છે ?' એમ બોલતા કૃષ્ણ શા ધનુષ્યનું વારંવાર આસ્ફાલન કરતા સૈન્ય સહિત તેની પછવાડે દોડ્યા. વિદ્યાના સામર્થ્યથી પ્રદ્યુમ્ન તત્કાળ તેની સેનાને ભાંગી અને કૃષ્ણને આયુધ વગરના કરી દીધા. તે વખતે કૃષ્ણ બહુ ખેદ પામ્યા. તેવામાં નારદે આવીને કહ્યું કે, “હે કૃષ્ણ ! તમારી સામે છે તે તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે.” માધવે પુત્ર જાણી તેને પ્રેમથી આલિંગન કર્યું. પુત્રના સંગમથી હર્ષ પામેલા કૃષ્ણ રૂક્મિણી સહીત ઉત્સવથી નગરમાં પ્રવેશ્યા.
તે સમયે દુર્યોધને આવી કૃષ્ણને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! હમણાં કોઇએ મારી પુત્રી અને તમારી પુત્રવધુને હરી લીધી છે તે સાંભળી છે સ્વામી ! પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે જાણીને હું કન્યાને હમણાં જ અહીં લાવીશ.” એમ કહીને પ્રદ્યુમ્ન તે સ્વયંવરા કન્યાને ક્ષણવારમાં ત્યાં લાવ્યો. કૃષ્ણ તે કન્યા તેને આપવા માંડી એટલે તે બોલ્યો, “એ મારી વધૂ એટલે નાના ભાઇની વહુ થાય છે. તેથી મારે પરણવા યોગ્ય નથી.' એમ કહીને તેણે ન લીધી. કન્યા કૃષ્ણ સત્યભામાના પુત્ર ભાનુને પરણાવી. પછી કૃષ્ણ પ્રદ્યુમ્નની પરણવાની ઇચ્છા નહોતી તો પણ મોટો ઉત્સવ કરીને બીજી બેચરોની અને રાજાઓની કન્યાઓ સાથે તેને પરણાવ્યો.
એક વખતે સત્યભામાને રીસાઈને જીર્ણ માંચા ઉપર બેઠેલી જોઈ કૃષ્ણ દુઃખનું કારણ પૂછ્યું. એટલે તેણીએ કહ્યું કે, “મારે પ્રદ્યુમ્ન જેવો પુત્ર થાય તેમ કરો.” અઠ્ઠમનો તપ કરીને કૃષ્ણ નૈગમેષીદેવને સાધ્યો. તે પ્રત્યક્ષ થયો. કૃષ્ણ પુત્ર માગતાં, તે એક હાર આપીને અંતર્ધાન થઈ ગયો. તે સ્વરૂપ જાણી પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી પોતાની માતાની સખી અને પોતાની અપરમાતા જાંબવતીને સત્યભામા જેવી કરી કૃષ્ણનાં વાસભવનમાં મોકલી. તેને હાર આપીને કૃષ્ણ ભોગવી. તે જ અવસરે કોઇ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૬૨