________________
ત્રીજા દિવસે પોષ સુદ સાતમના જ્યારે બપોરના ૧ વાગે તેમની સ્મશાનયાત્રા નીકળી ત્યારે રોડની બંને બાજુ હજારો ભાવિકો અને લોકો શાંત ચિત્તે – અદબપૂર્વક – ગંભીરપણે – સ્વર્ગસ્થનાં અંતિમ દર્શન માટે ને મનોમન એમના ભવ્યાતિભવ્ય કાર્યની અનુમોદનાની અંજલિ આપવા ખૂબ શાંતિપૂર્વક ઉભા હતા.
પાલિતાણા ગામના માણસોએ એમ કહ્યું કે આ ગામના રાજાને પણ આવું માન નહોતું મળ્યું. આટલું માણસ ક્યારેય પણ જોવા મળ્યું નથી.
ઓશવાળ યાત્રિક ગૃહની શેરીના નાકે, તળેટી રોડ ઉપર જ એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાં આજે કળશ આકારનું ભવ્ય સ્મારક બંધાવવામાં આવ્યું છે. આ સ્વર્ગસ્થ આત્મા આપણને સહુને આવાં કાર્યો કરવા માટે જબ્બર પ્રેરણા આપી ગયો.
શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ • શત્રુંજય પર્વતને જોયા વિના પણ શત્રુંજય યાત્રા જતા સંઘનું વાત્સલ્ય કરે
તો ક્રોડ ગણું પુણ્ય થાય. (શ્રાદ્ધવિધિ) • અન્ય સ્થાનમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતા જેટલું શુભ ફળ પામે તેટલું ફળ
આ તીર્થમાં નિર્મલતાથી કરે તો અંતર્મુહૂર્તમાં પામે. (શ્રાદ્ધવિધિ)
શત્રુંજય તીર્થમાં રથ મૂકવાથી ચક્રવર્તી થાય. (શ્રાદ્ધવિધિ) • રાયણવૃક્ષના દરેક પાંદડામાં, ફળમાં, થડમાં દેવવાસ છે. માટે છેદવા નહિ. • આ વૃક્ષને પૂજવાથી તાવ ઉતરી જાય. • બે મિત્રો, બે બેનપણી થતાં આ વૃક્ષની સાક્ષી રાખે તો સુખી થાય. • વૃક્ષ નીચે પડેલી છાલ, પાંદડાનું પાણી કરીને પીએ અથવા શરીર ઉપર
સ્મરણ કરીને ચોપડે તો દુષ્ટ રોગ નાશ પામે. • સોનાની ચોરી કરી હોય તો-ચૈત્રી પૂનમનો ઉપવાસ કરી યાત્રા કરવાથી શુદ્ધ થાય. • વસ્ત્રની ચોરી કરી હોય તો - આ તીર્થે સાત આંબિલથી શુદ્ધ થાય. • કાંસા, તાંબા-પિત્તળની ચોરી કરી હોય તો - સાત દિવસ પુરિમઢ તપ કરવાથી
શુદ્ધ થાય. • મોતી-પરવાળાની ચોરી કરી હોય તો - ૧૫ આંબિલથી શુદ્ધ થાય. • અન્ન-જલની ચોરી કરી હોય તો - સુપાત્ર દાનથી શુદ્ધ થાય. • પશુઓની ચોરી કરી હોય તો - મૂલનાયકની પૂજાથી શુદ્ધ થાય. • રાજભંડારમાં ચોરી કરી હોય તો - કાર્તિક માસમાં સાત આંબિલથી શુદ્ધ થાય. • સધવા, વિધવા, સાધ્વી સાથે ગમન કરનાર - છ મહિના સુધી તપ કરવાથી શુદ્ધ થાય. • બીજાની વસ્તુ પોતે રાખી મૂકે તો - છ માસ સામાયિકથી શુદ્ધ થાય.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૮