Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 477
________________ તીર્થયાત્રાએ જતાં પૂર્વે ) (પ.પૂ. હેમરત્નસૂરીજી મ. સંપાદિત “ચાલો જિનાલયે જઇએ'ના આધારે.) એક સમય હતો, જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા જ થતી જ. અથવા તો ગાડા જોડીને થતી. આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોડીને જાત્રા કરી હતી. બસ, ટ્રેન કે ટેક્ષી જેવા સાધનો ન હતાં એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા યાત્રાઓ થતી. આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાને વાહનોનો ઢગલો કરી નાખ્યો. રે ! હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ ક્યાં રહી છે? રોડ પર ધસમસતા નદીના પૂરની જેમ સતત વાહનો દોડ્યું જતાં હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફલાઇટોની ઘરરરાટીથી ગાજી રહ્યું છે. હવે તો એરટેક્ષીઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે. આવતી કાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહિ ! વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂરદૂરના પ્રદેશોમાં, અંતરીયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગ્રત થયા છે અને મોટાભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રવાહ પણ વધ્યો છે. જેના પ્રભાવે તીથોમાં સગવડો વધી છે અને નવા નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચ પણ વધ્યા છે. આમ (૧) તીર્થયાત્રાઓ વધી છે. (૨) તીર્થો વધ્યા છે. (૩) તીર્થોમાં સગવડો વધી છે. અને (૪) શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી. કેમ કે, જેમ - (૧) તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે આશાતનાઓ પણ વધી છે. (૨) તીર્થો વધ્યા છે, સાથે સાથે ગેરવહીવટો પણ વધ્યા છે. (૩) તીર્થોમાં સગવડો વધી છે, સાથે સાથે તે સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે. (૪) ઉદારતા વધી છે તેમ, સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીથ એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગર્વમેન્ટ ઇયરએન્ડીંગ દિવાળીના બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા બે-એક વર્ષથી મોટેભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ઘરે ન રહેતાં શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૬

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496