________________
• ત્રણેક સાધ્વીજી ભગવંત. ગિરિરાજની ૯૯ યાત્રા કરતા ગિરિરાજના પગથિયા પ્રત્યે બહુમાન અહોભાગ્ય જાગી ગયું.
હજારો લોકો આત્માઓને આ પગથીયા કેટલાક સહયોગી બની રહ્યા છે. ધન્ય આ ગિરિને ! ધન્ય આ રસ્તાને ! ધન્ય આ પગથીયાઓને ! અને ભાવ પરિણમ્યો ચાલો એક એક પગથીયાઓને ! પુંજતા જઈએ અને ખમાસમણ આપતા જઈએ. આખા ગિરિરાજના ૩૬૦૦ પગથિયા પર ખમાસમણ આપી યાત્રા કરી. એ સાધ્વીજીઓ હતા સા.શ્રી પ્રશાંતગુણાશ્રીજી, સા.શ્રી વ્હીકાંરગુણાશ્રીજી, સા.શ્રી વિરાગગુણાશ્રીજી આદિ. • ગિરનાર-જુનાગઢના શ્રાવક નામ ભદ્રિકભાઈ ! પૂજયપાદ્ હિમાંશુ સૂ.મ. પાસે ધર્મ પામ્યા. પૌષધ કરી આયંબિલની ઓળી કરી છ ગાઉની રોજ યાત્રા કરવી. એ રીતે ૯૯ યાત્રા કરવાનો સંકલ્પ પૂરો કર્યો. છ ગાઉની યાત્રા કરી બપોરે ૨ વાગ્યે આદપર ગામે પહોંચે ત્યાં જ ધર્મશાળામાં મુકામ રાખેલ. બપોરના ૩/૩ વાગ્યે આયંબિલ કરે. ધન્ય ભાવના ! ધન્ય પુરુષાર્થ ! • એક રાજસ્થાની શ્રાવક ! ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરવી એવી ૯૯ છઠ્ઠ કરવી અને દરેક છઠ્ઠમાં સાત યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. જબ્બર વીયલ્લાસ ફોરવી આ સંકલ્પ સાકાર કર્યો. • કચ્છ નાના આસંબીઆના શ્રાવક નામે કાંતિલાલ સાવ એકવડીયું શરીર. દાદાના દર્શને ભાવોલ્લાસ જાગી ગયો. અટ્ટમનું પચ્ચકખાણ લેતાં જ મનમાં ભાવના થઇ માસક્ષમણ થઈ જાય તો કેવું સારું? બસ ભાવને અમલીકરણ કરાવ્યું. માસક્ષમણ પૂર્ણ કર્યું અને રોજ પગે ચાલીને યાત્રા કરી પારણાના દિવસે પણ યાત્રા કરી પછી જ પારણું કર્યું. • ગામ કચ્છ ગોધરાના વયોવૃદ્ધ માજી ભચીમાની તીર્થયાત્રા મસ્તક ઝૂકાવી દે. બાવીસ ૯૯ યાત્રા પૂર્ણ કરી અને ૮૫ વર્ષની ઉંમરે સાત માસક્ષમણ આ ગિરિરાજ પર આરાધી લીધા. • તખતગઢની ધર્મશાળામાં ૯૯ કરવા પધારેલી સાબરમતીની ૧૭/૧૮ વર્ષની તરૂણી. યાત્રા કરતા દાદા સાથે પ્રીતિ બંધાણી...યાત્રાનો છેલ્લો દિવસ... આંખો વિરહની વેદનાથી ઉભરાઇ. ઓહ ! હવે ઘરે જવાનું...? અંતર વલોવાયું. પ્રભુના ભાવ સામ્રાજયનો સ્પર્શ થયો. હાથ જોડાયા. પ્રતિજ્ઞા લેવા મનમાં સત્વ જાગ્યું ! ગુરુદેવ છ માસમાં ચારિત્ર લેવું... હાલ માવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપો. મક્કમ મનની તરૂણી આખરે પ્રતિજ્ઞાનું શણગાર બની. પ્રભુની પ્રીતિ શું આપે ? વિરતિની પ્રાપ્તિ ! • માટુંગાનો કુમારપાળ ! સાજ-શણગાર અને ભાવ-ભાવિકો સાથે ગિરિરાજની યાત્રાએ પધાર્યા ! ૧૫/૧૭ મજૂરોના મસ્તકે વિરાટ કદના ફળ / નૈવેદ્ય મેવા મીઠાઈ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૬