Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 464
________________ ૧૨/૧૧ થી ૧૨/૧૪ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. ૧૨/૧૫ થી ૧૨/૧૭ શ્રી 38 પુણ્યાતું પુણ્યાહ... પ્રીયંતાં પ્રીયંતાં. અને ૧૨/૧૮ની સોહામણી, મનમોહની, ભવતારણી ધન્ય પળે ગિરિરાજના અ...ભિ...પે...ક અને પછી રત્નોથી, સોનાથી, રૂપાથી, સોના-ચાંદીના બાદલાથી, વાસક્ષેપથી કે અક્ષતથી ગિરિરાજને વધાવજો. અને નાચ-ગાન કરીને ભક્તિની ધૂન મચાવજો . ૧૨૩૯ કલાકે શ્રી વર્ધમાન શક્રસ્તવ દ્વારા ગિરિરાજ સ્તવના કરવામાં આવશે. ‘સિદ્ધાચલના વાસી પ્યારા...” “આદિશ્વર અલબેલો છે' આદિ અનેક ભક્તિગીતો ગાતા ગાતા ફરી વાતાવરણને ગૂંજવી દેજો . મનને જે વિશિષ્ટ અનુભવ થાય તે અચૂક અમને જણાવજો. આવી દૈનિક પેપરોમાં જાહેરાતો પણ આપી અને આ કાર્યમાં સહુનો સાથ સહકાર માંગ્યો. ત્યારે સહુ ભાવિક ભાઈ-બહેનો તે શુભ કાર્યને પોતાની અનુમતિના અક્ષતોથી વધાવતાં જ ગયાં. પોતે પોતાના હૃદયમાં એવી શુભ ભાવના ભાવી હતી કે નવકારમંત્રના અડસઠ અક્ષરો હોવાથી સમુદાય અને ગચ્છના ભેદભાવ વગર આ પ્રસંગે શ્રી સિદ્ધગિરિમાં ૬૮ આચાર્ય ભગવંતો પધારે. તેના માટે તેઓ જાતે જ ગામોગામ વિનંતી કરવા ગયા હતા અને જેઓની પાસે વિનંતી કરવા ગયા તે ગુરુભગવંતે તરત જ આનંદથી હા પાડી દીધી. કારણ કે આવું કાર્ય કવચિત જ જોવા મળે છે. તેમાંથી ૩૮ આચાર્યભગવંતો તો આ પ્રસંગે પધાર્યા હતા. તેમજ પોતાના પુણ્યના ભાથા માટે અને પ્રસંગને જોવા જાણવા માટે ૨૦૦૦ થી ૨૫૦૦ પૂ. સાધુસાધ્વી ભગવંતો પણ પધાર્યા હતા. રજનીકાંતભાઇએ સહુ ગુરુભગવંતોનો આ કાર્યમાં સહકાર માંગ્યો હતો અને મળ્યો હતો. તેમણે દરેક ગચ્છ અને દરેક સમુદાયના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓની આશીર્વાદ આપતી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવી હતી ને ત્યાં મૂકવામાં પણ આવી હતી. આ પ્રસંગને જોવા, જાણવા ને અનુભવવા માટે ગામોગામથી ૭૦ થી ૭૫ હજાર સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ પધાર્યા હતા. તેમાં કેટલાક જીવોએ અભિષેક કરી લાભ લીધો. કેટલાક જીવોએ સેવા કરીને સેવા દ્વારા લાભ લીધો. માહાસ્ય સાર - ૪૪૩

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496