________________
સહિત દર્શન કરતાં ધ્યાન નિમગ્ન બન્યા અને ઘાતકર્મ ખપાવી તે સર્વને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તથા ત્યાં જ આયુષ્ય ક્ષય થતાં નિર્વાણ પામ્યા.
ઇન્દ્ર મહારાજાએ આવીને લહિયાચાર્ય આદિનો નિર્વાણ મહોત્સવ કર્યો અને તીર્થને “લૌહિત્ય' નામથી પ્રસિદ્ધ કર્યું.
| | કૃતિ તૌહિત્ય: રાગ નહિત્ય: કથા | I(૨૦) તાલધ્વજ નામનું આલંબન ધરાપાલરાજા
રાજન્ ! સંધ્યા સમય થવા આવ્યો. આપે સવારથી કાંઈ જ આહાર લીધો નથી માટે કૃપા કરો. ભોજનખંડમાં પધારો.”
કુંભપુરીના ધરાપાલરાજાને તેના મંત્રી આદિ સેવકો વિનંતી કરી રહ્યા છે. ત્યારે રાજા કહે છે : “મંત્રીશ્વર ! તમે જાણો છો કે મારે જિનપૂજાનો નિયમ છે. આજે મારા કોઇક અશુભ કર્મના ઉદયથી હું જયારે જ્યારે પુષ્પપૂજા કરવા પુષ્પો હાથમાં લઉં છું ત્યારે પુષ્પો મારા હાથમાંથી ક્યાંય જતા રહે છે. એટલે મારી જિનપૂજા અધૂરી રહી છે. તેથી આહાર ગ્રહણ કરી શકાય એમ નથી.'
આ રીતે જિનપૂજા વિના રાજાને ત્રણ દિવસ પસાર થયા. એમાં એવું બનેલું કે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી કે... “કુંભપુરીનો ધરાપાલરાજા પુષ્પ, વીણા, નૃત્યાદિ વડે એવી સુંદર જિનપૂજા કરે છે કે એને જિનપૂજામાંથી ચલાયમાન કરવાની કોઈની તાકાત નથી.” આ પ્રશંસા નહિ સહન કરવાથી મુકુન્દ નામના દેવે રાજાની પરીક્ષા કરી. તે અદૃશ્ય રીતે રાજાના હાથમાંથી ફૂલો લઇ લેતો હતો. આથી જિનપૂજા અધુરી રહી. આવું સળંગ ત્રણ દિવસ બન્યું, તેથી રાજાને અઠ્ઠમ તપ થયો. પણ... રાજા પોતાના ભાવથી ચલિત ન થયો.
આ જોઇ, ખુશ થયેલા દેવે ચિંતામણિરત્ન આપ્યું. તેના પ્રભાવથી રાજા સાતે ક્ષેત્રોમાં ખૂબ લાભ લેવા લાગ્યો તથા પોતાના મહેલના આંગણામાં ૧૦૮ મંડપવાળું જિનાલ બંધાવ્યું. તેમાં શ્રી અરનાથ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી રાજા દરરોજ મણિમય આભૂષણો અને નવા નવા ગીત-નૃત્યો વડે ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરે છે.
એક વખત શત્રુંજયગિરિનું માહાસ્ય જાણી ચાર કરોડ મનુષ્ય સહિત સંઘ લઈને રાજા ગિરિરાજની યાત્રાએ ગયો. ત્યાં પણ આ રીતે વિશિષ્ટ પ્રભુભક્તિ કરી પરમાત્માના ધ્યાનમાં લયલીન થયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૮