________________
છે. તેમાં રહેલા સર્વ ભગવંતોને વંદના કરીને બહાર નીકળીએ એટલે જમણી બાજુએ સગાળપોળનો દરવાજો નજરે ચઢે છે.
હવે આપણે નીચે ઉતરશું
નીચે ઉતરતાં-ઉતરતાં આપણે જે અનુપમ યાત્રા કરી તેને યાદ કરતા જવાનું છે. બહુ ઉતાવળ ન કરતાં ખૂબ જ જયણાપૂર્વક ઉતરશો.
આ ગિરિવરનો મહિમા કેવો અદ્દભૂત છે. એટલે જ મહાપુરુષોએ કહ્યું છે કે.. ઐસી દશા હો ભગવનું, જબ પ્રાણ તનસે નીકલે; ગિરિરાજ કી હો છાયા. મન ન હોવે માયા...
| મૃત્યુ શત્રુંજયમાં અને જન્મ મહાવિદેહમાં લ્યો આ દેખાય તળેટી. આપણે છેક ધોળી પરબે આવી ગયા. અહીં ભાતાના પાસ અપાય છે.
આ ભાતા ખાતાના પાસ લઈ લ્યો. નીચે ભાત ખાતું છે. પેઢી તરફથી ચાલે છે. આ આવી પહોંચ્યા તળેટીએ...! કરી લ્યો તળેટીનો સ્પર્શ... હે ગિરિરાજ.... તારી મહાનતા તો જો. તારા ઉપર ચઢીને જનારને પણ તું તારી દે છે...? ધન્ય... ધન્ય...!
આ આગમ મંદિર છે... અને આ ભાતા ખાતુ છે...!
બસ...! આ યાત્રાની કાયમી સ્મૃતિ રૂપે દરરોજ સંક્ષેપથી ગિરિરાજની યાત્રા કરીને ૧૫ મિનિટ, અડધો કલાક કે કલાક એવા ઉચ્ચભાવોને સ્પર્શવા કે શુભ ધ્યાનમાં આગળ વધી શુક્લધ્યાન ધ્યાતા-ધ્યાતા બાકીના કર્મોને ખપાવીને શિવગતિ ગામી બનીએ.
જય શત્રુંજય...! જય આદીનાથ...!
અત્યંત અંતરના ભાવોથી લખાયેલ વર્ણવાયેલ આ યાત્રાથી સૌ જલ્દી મુક્તિગામી બનીએ.
( છ ગાઉની યાત્રા - પ્રતિ વર્ષ ફાગણ સુદ ૧૩ના દિને હજારો આત્માઓ શત્રુંજય તીર્થની યાત્રા કરી છ ગાઉની પ્રદક્ષિણા કરી ધન્ય બને છે. રામપોળથી બહાર જમણી બાજુથી આ યાત્રાનો આરંભ થાય છે. • દેવકીના છ પુત્રોની દેરી : વસુદેવની પત્ની દેવકીએ શ્રીકૃષ્ણની પહેલા ક્રમશઃ છ પુત્રોને જમ આપ્યો હતો. કંસના ડરથી જન્મ થતાંની સાથે જ હરિëગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુલસાની પાસે મૂકી દીધા હતા. રૂપ-રંગ-આકારમાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૯