Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માતાના દર્શન થવા જોઈએ. ભગવાન, ગુરુ, ધર્મ, પ્રવચન વગેરે માતા છે. માટે જ પ્રવચનમાતા, ધર્મમાતા, ગુરુમાતા વગેરે શબ્દો પ્રયોજાયા છે.
ભગવાન આપણને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે, પણ આપણે ભગવાનને કઈ દષ્ટિથી જોઈએ છીએ ?
ગમે તેટલા દોષોથી ભરેલા હોવા છતાં પ્રભુ આપણને પૂર્ણ પ્રેમરૂપે જુએ છે. એ ઓછી વાત છે ?
નયોની અપેક્ષાએ પ્રભુ-દર્શન નૈગમનય : મન, વચન, કાયાની ચંચળતા પૂર્વક માત્ર તમારી આંખોએ પ્રભુમૂર્તિ જોઈ ? તો પણ હું કહીશ કે તમે પ્રભુ-દર્શન કર્યા.
સંગ્રહનય : જો તમને સર્વ જીવો સિદ્ધ ભગવંતોના સાધર્મિક બંધુઓ દેખાય તો જ હું ખરા દર્શન માનીશ.
વ્યવહારનય : આશાતનારહિત, વંદન-નમસ્કાર સહિત જો તમે પ્રભુ-મુદ્રા જોશો તો જ હું દર્શન માનીશ.
ત્રજુસૂત્રનય : સ્થિરતા અને ઉપયોગ પૂર્વકના દર્શનને જ હું ‘દર્શન” તરીકે માન્ય કરું છું.
શબ્દ નય : પ્રભુના અનંત ઐશ્વર્યને જોઈ તમારી આત્મ-સંપત્તિને પ્રગટાવવાની ઈચ્છા થઈ હશે તો જ હું ખરા “દર્શન” માનીશ.
સમભિરૂઢ નય : તમે કેવળજ્ઞાની બનશો ત્યારે જ સાચા દર્શન કરી શકશો - એમ હું માનું છું.
એવંભૂત નય : તમે સિદ્ધ પરમાત્મા બનશો ત્યારે જ ખરેખરા “દર્શન કરી શકશો - એવી મારી માન્યતા છે.
– પૂ. આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરિજી લિખિત મિલે મન ભીતર ભગવાન' પુસ્તકના આધારે
૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ