________________
એ સમિતિમાં આધારભૂત ખ્યાતનામ, વિચક્ષણ ને વિવેકી. શ્રાદ્ધર પૂ. સાગરજીના અનન્ય, સમજુ ભકત છે, જેઓએ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને રસ માર્યો છે, જીવનમાં ઉતાર્યો છે, તે આનંદ, તે ઉલ્લાસ, તે પ્રસન્નતા, તે આત્મીયતા, તે રોમાંચ અન્યને અર્પવા કટિબદ્ધ બન્યા છે.
તેમને પ્રેરણું અર્પનાર, કાર્યપ્રવૃત્ત કરનાર, તપમૂર્તિ શાંત, દાન્ત, ક્ષાત સરળ સ્વભાવી, વાત્સલ્ય મૂર્તિ, સદેવ સ્મિત પાથરતા આચાર્ય ભગવંત શ્રીદનસાગરજી મ. સા. છે.
અને પૂ. ગુરૂદેવના વિચારોને આચારમાં મૂકનાર, ઉષ્મા ને હૂંફ લાવનાર છે સંગઠન પ્રેમી શ્રીનિત્યદયસાગરજી ગણિવર્ય. તેમનામાં નામ પ્રમાણે સાગરજીનાં વિચારને નિત્ય ઉદયમાં લાવવા માટે તમન્ના છે, ધગશ છે, બસ, બધાને સાગરજીના જ્ઞાનસાગરમાં ડૂબાડી તેમને અને સાત્વિક આનંદ લેતા કરવા.
આવી શુભભાવના ને શુભકામના એ ગુરૂશિષ્યની અલબેલી જોડીમાં છે. તેમને યથાર્થ સ્વરૂપે નક્કર વાસ્તવિક બનાવનાર છે સુજ્ઞ, સંસ્કારી, જન્મજાત ધર્મનિષ્ઠ એવા સાત ટ્રસ્ટીઓ જેમનાં અપૂર્વ શ્રદ્ધાઅડગ વિશ્વાસ, ને અટળ કાર્યનિષ્ઠાને કારણે તેઓ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને મુદ્રિત કરવા-કરાવવા કટિબદ્ધ થયા છે.
અને આવું ઉમદા-ઉત્તમ–ઉદાત્ત કાર્ય કરવાને અલ્યાંશ લ્હાવો લેવાનું મને ગુરૂકૃપાએ, પુણ્યોદયે પ્રાપ્ત થયું તે મારું સૌભાગ્ય છે.
આ પ્રવચને સમજવા માટે પ્રાથમિક નિશ્ચિત વિચાર-જ્ઞાનની પૂર્વભૂમિકાની જરૂર છે પછી તેને માનસપાચક બનાવવાની બુદ્ધિ ને અભ્યાસની જરૂર છે તથા આત્મસાત્ કરવા માટે સમતા, શાંતિ ને સ્થિરતાની જરૂર છે.
છસ્થ છું, ભૌતિક ભૂતાવળથી વીંટળાયેલ છું, વિષમય વાતાવરણમાં વિમાસું છું તેવાને હાથે થયેલ ભૂલ ઉદારભાવે ક્ષમ્ય કરી છાશ ન પીતાં, માખણ-નવનીત માણશો એવી વિનંતી–
લાલચંદ કે. શાહ (વાદવાળા)