________________
*****************************************
*************************
મુનિજીએ પાલીતાણામાં સં. ૧૯૮૬માં ૧૪ વરસની ઉંમરે સંસારીપણામાં પ્રથમ સંગ્રહણીની ૩૪૯ ગાથા કંઠસ્થ કરી, તે પછી સંગ્રહણી ગ્રન્થનું અધ્યયન પૂ. ગુરુદેવ ધર્મવિજયજી મહારાજ પાસે કર્યું. તે પછી તેનું ભાષાંતર દીક્ષા ગ્રહણના પ્રથમ વર્ષમાં જ અર્થાત્ સંવત ૧૯૮૭માં જ્યારે ઉંમર માત્ર ૧૫ વરસની હતી ત્યારે મહુવા (સૌરાષ્ટ્ર)માં શરૂ કર્યું. ૧।। વરસ સુધી થોડું થોડું લખતા રહ્યા, ત્યારબાદ વિહારના કારણે બે વર્ષ બંધ રહ્યું, વળી પાછું શરૂ કર્યું અને વિ. સં. ૧૯૯૧ના અંતમાં દર્ભાવતી-ડભોઇમંડન પરમપ્રભાવક શ્રી લોઢણપાર્શ્વનાથ ભગવાન વગેરે ઇષ્ટ દેવો અને ડભોઇમાં જ સ્વર્ગવાસી બનેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવો, ભગવતીજી મા પદ્માવતી તથા સરસ્વતીજી વગેરેની કૃપા-સહાયથી પૂરું કર્યું. કટકે કટકે ભાષાંતર કરતાં ૧૯ વરસની ઉંમરે પૂર્ણ કર્યું, લેખકના સમર્થ વિદ્વાન ગુરુદેવ તત્ત્વજ્ઞ પૂજ્ય મુનિશ્રી ધર્મવિજયજી મહારાજે સમગ્ર લખાણનું સંશોધન કર્યું અને જરૂરી સુધારા કર્યાં. પૂજ્યપ્રવર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજી મહારાજે પણ સિંહાવલોકન કરી સૂચનો કર્યાં. પૂજ્ય દાદાગુરુજીએ નજર નાંખી, ત્રણેય ગુરુદેવોએ આશીર્વાદપૂર્વક ખૂબ જ પ્રસન્નતા દર્શાવી. પછી સં. ૧૯૯૩માં ભાવનગરના નવા જ શરૂ થએલા સુપ્રસિદ્ધ ‘મહોદય’ પ્રેસમાં છાપવા માટે ધર્માત્મા શ્રી ગુલાબચંદભાઇને પ્રેસકોપી આપી. મુદ્રણ કાર્ય તીવ્ર ગતિએ શરૂ થયું. પ્રૂફો મુનિજી અને બંને ગુરુમહારાજો પણ જોતા હતા. કિલષ્ટ મુદ્રણ હોવા છતાં પણ પ્રેસે આ કાર્યને પોતાનું જ માનીને ખૂબ જ લગનીથી આ દળદાર ગ્રંથ સં. ૧૯૯૫માં પૂરો છાપી આપ્યો. પછી ઉત્તમ બાઇન્ડીંગ, સુંદર ગેટઅપ, શ્રેષ્ઠ કાગળો વગેરેથી સર્વાંગસુંદર ૮૦૦ પાનાંનો પ્રસ્તુત ગ્રન્થ તીર્થક્ષેત્ર પાલીતાણામાં ચંપાનિવાસ ધર્મશાળામાં રહેલા પૂજ્ય ગુરુદેવોના નેતૃત્વમાં સાનન્દ પ્રકાશિત થયો. તે વખતે ઉદ્ઘાટન સમારંભ કરવાની ખાસ પ્રથા ન હતી. આ ગ્રન્થ મુનિજીને વૈવિધ્યનો શોખ એટલે લેઝર પેપર, ચાર રંગના આર્ટ પેપર, એન્ટિક વગેરે પેપર ઉપર પણ છાપ્યો હતો. વિવિધ કાગળોની નકલો આજે પણ વિદ્યમાન છે. જ્યારે સાહિત્યમંદિરમાં આ ગ્રન્થ પ્રકાશિત થયો ત્યારે અનુવાદક મુનિજીની ઉંમર માત્ર ૨૨ વર્ષની જ હતી.
આ ભાષાંતરમાં ભૂગોળ, ખગોળ અને ચૌદરાજના સ્થાનવર્તી એક કલરથી માંડી ચાર કલરનાં ૬૪ ચિત્રો હતાં. આ ચિત્રો પણ મુનિજીએ ખુદ પોતાના હાથે કરેલાં છે. આટલી નાની ઉંમરમાં ભૂગોળ, ખગોળ વગેરે વિષયોને લગતાં ચિત્રોની કલ્પના સાકાર કરવી, હાથથી ચીતરવાં એ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું છતાં તેઓશ્રીએ તે કાર્ય પાર પાડ્યું. તે પછી બીજી આવૃત્તિ માટે કુશળ ચિત્રકાર પાસે નવાં ચિત્રો તૈયાર કરાવ્યાં.
મુનિજીને ચિત્રકલાનો રસ ખરો પણ સ્કૂલમાં ભણતા ત્યારે તો ચિત્રકામમાં પિરિયડ ભરતા જ ન હતા પણ ગતજન્મનો સંસ્કાર એટલે સ્વયં સૂઝથી ચિત્રોનું કામ પાર પાડેલું હતું. આ ચિત્રોમાં જે કલરચિત્રો છે તે રંગીન પેન્સિલથી બનાવ્યાં હતાં પણ રંગથી નહિ. તે વખતે બજારમાં રંગો મળવાની અનુકૂળતા ઓછી હતી.
૧૨ વરસની ઉંમરથી જ વણશીખ્યા ગતજન્મના કલાના થોડા સંસ્કાર સ્વાભાવિક હતા અને ચિત્રો-નકશાઓ બનાવવામાં કુશળ કલારસિક પોતાના વિદ્વાન ગુરુદેવ વગેરેનો પૂરો સાથ
***********************
****************** [*]******************