Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 826
________________ પાનાચંદ – હાસ્તો, એને કંઈ શીંગડું કે પૂછડું નથી હોતું. એ તો એક બીજાના પરિચય, વર્તન, વાણી ને વિવેકમાં જ જણાઈ આવે છે. સગુણ અને સંસ્કાર, એ માંગ્યા કદી મળતા નથી ઊતરી ચૂક્યાં જે નીર, તે મોભે કદી ચઢતા નથી. કાન્તિ :– આપ સર્વે મુરબ્બીઓ, મને જે માન આપી રહ્યા છો. તે આપની મહાનતા છે. બાકી મારાથી શું બની શક્યું છે? છેવિમલ :– એમ નહીં, શેઠ આજે બાર બાર દિવસથી તમે અમારી સાથે સાથે શું નથી ) કરી રહ્યા? પોતાનું દરેક કામકાજ એક તરફ મૂકી, દરરોજ અમારા જ કાર્યમાં is એક ચિત્તથી લાગી રહ્યા છો, એ શું ઓછી પરમાર્થની ધગશ છે? પાનાચંદ – ખરેખર (૨) તમારા જેવા સન્મ અને સુશીલ નાગરિકો એ દેશનું અમૂલ્ય ધન છે. ચાં. મહેતા – પાટણના મહાજનનો પ્રેમભાવ, તારી અમારા પ્રત્યેની પૂજ્ય લાગણી, તથા સારામાં સારી સરભરા, આ બધું અમે આજીવન તો ભૂલી શકીએ તેમ નથી. સોભાગ :– ભાઈ, હવે અમોએ અહીંથી ધોળકા-ધંધુકા તરફ જવાનો નિર્ણય કર્યો છે, પાનાચંદ :– હાજતો, કેમકે હવે દિવસો નજીક પહોચે છે, અને હજુ પાંચ મહિનાની જવાબદારી આપણે શિરે છે, એટલે હવે એક એક દિવસ કિંમતી છે, સમય નક્કામો ખોવો એ ઠીક નહીં. સોભાગ :– વળી પાટણના મહાજન તરફથી, ત્રણ માસની ટીપ ભરાઈ ગઈ એ કંઈ નાની સૂની વાત નથી. માટે શેઠ હવે તો ખુશી થઈ રજા આપો. કાન્તિ :- આપ મહાજનોની એમ જ મરજી છે તો ભલે, આવતી કાલે સવારે અહીંથી વિદાયગીરી આપીશું, પણ બંબ બારોટ અહીં રહે તો શું વાંધો છે? ચાં. મહેતા – વાંધો કેમ નહીં ભાઈ? ગામે ગામ પ્રથમ મહાજન ભેગું કરી પાંચ પચ્ચીસ માણસોમાં વાતચીત કેમ શરૂ કરવી એ કામ તો એમનું, અમે તો પછી is સમજાવીએ, શરમાવીએ અને કામકાજ કરી શકીએ. પાનાચંદ : – અને એટલા માટે જ તમારા પર ભલામણ પત્ર લખી, એમને અહીં પ્રથમ મોકલ્યા હતા, પણ અહીંથી તો સાથે જ નીકળવાની એમની તેમજ અમારી ઇચ્છા છે. કાન્તિ :- ભલે, જેવી આપની મરજી, અરે મહેતાજી? મહેતા – (આવે છે) જી. કાન્તિ – જમવાની કેટલી વાર છે?

Loading...

Page Navigation
1 ... 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850