________________
来来来来来来来来来来汁本来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来ホホホホホホホホホ
***************** ** **** ** ******************** ૧૫. બે ઘડી યોગ (સામાયિક)
૧૮. ભક્ષ્યાભક્ષ્ય ૧૬. મનનું મારણ (ધ્યાન)
૧૯. જીવનવ્યવહાર ૧૭. પ્રાર્થના અને પૂજા (આવશ્યકક્રિયા) ૨૦. દિનચર્યા
વિ. સં. ૨૦૦૦માં ગોડીજીના ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ગોડીજીના ટ્રસ્ટીઓએ આ પુસ્તિકાની વાત મૂકી, સભામાં અપીલ કરી પછી હું અને પૂ. ગુરુદેવ અને અન્ય વક્તાઓ બોલ્યા હતા. વીશ પુસ્તિકાના ફક્ત ૧૦ રૂપિયા રાખ્યા હતા. તેના ગ્રાહકો નોંધવામાં આવ્યા અને બે વર્ષમાં એ ગ્રન્થમાળા પૂર્ણ કરવામાં આવી હતી. આ રીતે બે હજાર ઘરોમાં આ પુસ્તક પહોંચી ગયાં અને હજારો વાચકોએ તેનો લાભ ઊઠાવ્યો.
આજે છેલ્લાં વીસેક વર્ષથી એ પુસ્તકો મળતાં નથી. આ પુસ્તકો બધાયને સંતોષી શકે એવું તો ન બંને પરંતુ એમાંથી ધાર્મિક વિષયનો બોધ જરૂર પૂરતો થાય તે હકીકત હતી. એકંદરે ૧00 ફર્માની ૨૦ પુસ્તિકાઓ હતી. તે પછી તે હિન્દીમાં પ્રગટ કરવાની હતી પણ તે તે શક્ય ન બન્યું. અરે! આ ધર્મબોધ ગ્રન્થમાળાની બીજી આવૃત્તિ પણ પ્રગટ થઇ શકી નહિ. અમદાવાદમાં પ્રકાશન માટે સારી સહાય કરતી સંસ્થાને આનું પુનર્મુદ્રણ થાય તે જરૂરી છે એ માટે પ્રેરણા કરેલી. આ વાતને પણ ચારેક વર્ષ થઈ ગયાં, પરંતુ તે વાત એમને એમ ઊભી રહી છે. પુસ્તકના લખાણનો ઢાંચો કે પદ્ધતિ બધાને ગમી જાય એવું ન બને પરંતુ જગત આ અને જીવનને જોવાની સાચી દૃષ્ટિ રજૂ કરતાં સુખ, શાંતિ અને સામર્થ્ય પ્રાપ્તિનો સાચો રાહ બતાવતા બીજા હજારો સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓને જરૂર ઉપયોગી થઈ પડે તેવા છે.
આ વિશ પુસ્તિકા પછી જૈનધર્મના તત્ત્વજ્ઞાનને લગતી બીજી વીશ પુસ્તિકા પ્રગટ કરવાનો વિચાર કર્યો હતો પણ મુંબઇથી વિહાર થતાં તે વાત પણ ખોરંભે પડી ગઇ. તત્ત્વજ્ઞાનની પુસ્તિકાઓ કદાચ આ જમાનામાં વધુ ઉપયોગી થઇ પડત. આ પુસ્તિકાઓમાં પૂજ્ય ગુરુદેવના અને મારા લખાણને પણ અવકાશ મળવાનો હતો.
તે પછી અમારા હસ્તક ગુજરાતી ભાષામાં લોકોને સંતોષી શકે તેવું સાહિત્ય તૈયાર થઈ શક્યું નહિ. જો કે છેલ્લાં ત્રીશ વર્ષમાં અનેક મહત્ત્વના, ઉત્તમ ગ્રન્થોના ગુજરાતી ભાષાંતરો, વ્યાખ્યાન સંગ્રહો, અન્ય બોધક ગ્રથો, વળી વર્તમાન પ્રજાને અપીલ કરી જાય તેવા વિદ્વાન સાધુઓનાં રોચક, આકર્ષક, હૃદયંગમ લાઇટ લેખો, વ્યાખ્યાનો પ્રગટ થઇ ચૂક્યાં છે. આ એક ઘણી જ સુખદ બાબત છે. જૂની વાત અહીં પૂર્ણ કરી.
બાળકો, યુવાનો માટે પુસ્તકો લખવાની ઘણી ઘણી મને ઉમેદ હતી. તૈયાર કરેલી કેટલીક - કાચી સામગ્રીનો હું ઉપયોગ કરી શક્યો નહિ પણ હવે કંઇક યોગ પાક્યો એટલે વડોદરાથી - લગભગ તૈયાર થએલી ૪૦ વર્ષ જૂની કોપી હાથમાં આવતાં એ મેટર રીતસર વ્યવસ્થિત કરી છે ‘પ્રેરણા અને પ્રકાશ આપતું પ્રવચન' તે નામની પુસ્તિકા પ્રથમ પ્રગટ કરાવી દીધી. તે પછી
વિ. સં૨૦૩૯માં ચૈત્ર સુદિ તેરસના દિવસે જૂનાગઢ પાસેના મજેવડી ગામમાં શ્રી મહાવીર ** ****** ** ** ****:「t 1 十十十十十十十十十十十牛牛牛牛牛牛牛牛
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来