Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 785
________________ ઘટનાઓ ચિરંજીવ બની રહે! જરૂર પડે વક્તાઓને રીતસર બોલવાનો ખોરાક મળી શકે. જે લખાણ ગુજરાતીમાં છપાય તે હિન્દીમાં પણ છપાય તો વક્તાઓને મુંઝાવું ન પડે, એટલે તૈયાર સામગ્રીને કે વ્યવસ્થિત કરીને છપાવવાનો નિર્ણય થયો. પ્રથમ છાપાઓમાં જે ઘટનાઓ અને પ્રસંગો પાલીતાણામાં હું થયા તે છપાવવાનું કામ શરૂ કરાવ્યું. તેનો જ આ પહેલો ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યો છે છે. સારા લેખકના અભાવે આ બધી સામગ્રી કે સંકલન સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે થઈ શક્યું છે નથી છતાં વાચકો તથા વક્તાઓની જરૂરિયાતને રીતસર સંતોષી શકશે એવી શ્રદ્ધા છે. } હિન્દીભાષી પ્રજા માટે પણ જીવન-કવનને લગતી સામગ્રી હિન્દી ભાષામાં છપાવી છે, તે પ્રસંગો-ઘટનાઓ એટલી વિશાળ છે કે આ પુસ્તિકા જેવડા જ બીજા બે પુસ્તકો પ્રગટ કરવા પડે છે પણ અત્યારે તો પહેલો ભાગ જ પ્રસિદ્ધ થાય છે. આ પુસ્તિકા બે વર્ષ પહેલાં છપાવવી જરૂરી હતી પરંતુ અણધારી આવેલી જીવલેણ માંદગીના કારણે આ કાર્ય સ્થગિત થઈ ગયું હતું પણ હવે હૈ તે આજે પ્રગટ થઈ રહી છે. પ્રસ્તુત જીવનદર્શનના પહેલા ભાગમાં જન્મસ્થાન, જન્મદાતા કોણ? દીક્ષા-સંયમનો સ્વીકાર ? ક્યારે કર્યો? શાસ્ત્રાભ્યાસ કેવી રીતે કર્યો? તે પછી કેવા કેવા ગ્રન્થોનું સર્જન શરૂ કર્યું? શિલ્પસ્થાપત્યના ક્ષેત્રે, ચિત્રકલાના ક્ષેત્રે નાની ઉંમરમાં કેવું સર્જન કર્યું? ધર્મબોધ ગ્રંથશ્રેણી પ્રકાશન દ્વારા જૈનપ્રજાના ઘડતર માટે કેવા પ્રયાસો કર્યા? “વિશ્વશાંતિ આરાધના સત્ર' મુંબઇમાં ઉજવાયું તે પ્રસંગે તે વિશિષ્ટ સાહિત્યકલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે પ્રસંગે પૂજ્ય ગુરુદેવો સાથે મુંબઈ- ૪ પાયધુનીમાં ગોડીજી ઉપાશ્રયમાં બિરાજમાન હતો ત્યારે મુમ્બાદેવીના મેદાનમાં આ પ્રસંગ છે ઉજવવામાં આવ્યો હતો. તે પછી ભારત-પાકિસ્તાનની લડાઈ વખતે દેશને સુવર્ણની જરૂર પડી છે અને તે વખતના દેશના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીની વિનંતી થતાં તે વખતે ૧૩ લાખનું છું સોનું ત્રણ દિવસમાં જૈન સમાજ પાસેથી ભેગું કરાવી આપ્યું અને ગોડીજીના ઉપાશ્રયમાં છે ગૃહપ્રધાનશ્રી ગુલઝારીલાલ નંદાને વિશાળ જનતાની હાજરી વચ્ચે અર્પણ કરવામાં આવ્યું હતું. આ કે એક ઐતિહાસિક અને સુવર્ણાક્ષરે નોંધાય તેવી ઘટના હતી. પાલીતાણા જૈનસાહિત્યમંદિરમાં ભારતના વડાપ્રધાન શ્રી વી. પી. સિંઘનું આગમન થયું તેનો 8 છે પ્રેરક પ્રસંગ, ૨૩ વર્ષની ઉમ્મરે તૈયાર કરેલા “ઉણાદિ પ્રયોગ યશસ્વિની મંજૂષા' નામના સંસ્કૃત છે. પુસ્તકના વિમોચનનો પ્રસંગ, તેમજ આ જ પુસ્તકનો ઉજૈન યુનિવર્સિટીમાં દેશ-પરદેશના બસોથી જ વધુ અગ્રણી વિદ્વાનો વચ્ચે ઉજવાયેલો લોકાર્પણ સમારોહ. આ સંસ્કૃત પુસ્તક જે ભારતભરમાં ! છે. સંસ્કૃત ભાષાના ક્ષેત્રે પહેલીજવાર તૈયાર થયું તેની ઘટના. તે પછી સાહિત્યના ક્ષેત્રમાં કરેલાં કાર્યોની વિસ્તૃત નોંધ. ગુરુ-શિષ્ય વચ્ચે થયેલા પત્રવ્યવહારનું જે પુસ્તક પ્રગટ થયું તેમાં પ્રોફેસર શ્રીમાનું રમણલાલ . શાહે જે નિવેદન લખેલું છે તે પણ અહીં છાપ્યું છે. અઢાર વર્ષની નાની ઉંમરે જૈનધર્મની મહાન કૃતિ “સંગ્રહણીરત્નમ્ અપરનામ “બૃહત્ છે છે. સંગ્રહણી’નો ૬૦૦-૭૦૦ પાનાંનો વિસ્તૃત અનુવાદ કર્યો હતો. જેમાં ઇતિહાસમાં કદી કોઈએ કર્યા છે

Loading...

Page Navigation
1 ... 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850