________________
વિશેષણો અને ભાવાર્થનું આહરણ તો આખી સ્તુતિમાં અનેક સ્થળે જોવા મળે છે. વાચકો બંને સ્તુતિઓ સાથે રાખીને અવલોકન કરશે, તો તેનો સ્પષ્ટ ખ્યાલ તેઓને મળી રહેશે. ક્યાંક ફેરફાર એવો કર્યો છે કે શોભનસ્તુતિમાં જે વિષયને ઉદ્દેશીને શબ્દો વાપર્યા હોય, તો ઐન્દ્રસ્તુતિકારે બીજા વિષયને લક્ષીને વાપર્યા હોય.
અહીંયા કોઈને શંકા જરૂર થાય કે પ્રસ્તુત સ્તુતિચોવીશી જો શોભનસ્તુતિચોવીશીના અનુકરણરૂપ જ છે, તો ઉપાધ્યાયજીએ નવું શું કર્યું? અને ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન અનુકરણશીલ કેમ બન્યા? પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે આ ચોવીશી અનુકરણરૂપે ભલે હોય! પણ રખે! કોઈએ એમ તો ન જ માની લેવું કે તેમાં કશી જ નવીનતા નથી. તેઓશ્રીની સ્તુતિ ઉપરની સ્વોપજ્ઞટીકા જોતાં પ્રસ્તુત સ્તુતિમાં કેવી કેવી નવીનતા તેમજ ગાંભીર્ય છે તેનો સ્પષ્ટ ખ્યાલ તદ્વિદોને મળે છે. એમાં કેટલાએ મહત્વના પ્રશ્નોનાં સમાધાનો કર્યાં છે. આ નવીનતા અને ગંભીરતા ક્યાં ક્યાં છે? તેનો જલદી ખ્યાલ મળી શકે તે માટે, તેવી પંક્તિઓને સ્થૂલાક્ષર (બ્લેક ટાઇપ)માં છપાવી છે.
બીજા પ્રશ્નનો જવાબ ટૂંકાણમાં એટલો જ આપી શકાય કે, એક તો ગૌરવ વધારવું, અને પ્રસ્તુત કૃતિમાં કેટલીક વિશેષતાઓને દાખલ કરી ગૌરવાન્વિત કરવી.
વાચકો જાણી લે કે આવું અનુકરણ કંઈ એક ઉપાધ્યાયજીએ જ કર્યું છે એવું જ નથી, ભારતીય ભૂમિના અનેક વિદ્વાનોએ (મૌલિક સર્જન સાથે) અનુકરણાત્મક સર્જન કર્યું જ છે. છતાં એ સર્જકો, જો સમર્થ વિદ્વાન હોય, તો તેમાં તેઓ કંઈ ને કંઈ નાવીન્ય લાવીને, તેની આવશ્યકતાની મહોરછાપ મારે છે.
૮. આ કૃતિમાં શું શું વિશેષતાઓ છે?
સામાની કૃતિનું સ્વકૃતિને પણ
સાતમા નંબરના લખાણમાં ‘વિશેષતાઓ છે' એ વાત જણાવી છે, અને મોટા ભાગની વિશેષતાઓ સ્થૂલાક્ષર (બ્લેક ટાઇપ) માં મુદ્રિત કરી છે. કોઈ કોઈ ભાષા--અર્થગત વિશેષતાઓ પણ છે. જેમકે ‘નર્યાત' ક્રિયાપદનો અર્થ નમસ્કાર અને રૂનો અર્થ સંપૂર્ણ કર્યો છે. વળી નવ્ય ન્યાયની શૈલી દ્વારા કેટલાક પ્રશ્નોને સ્વયં ઉઠાવીને સમાધાનો કર્યાં છે. કેટલાક ગૂઢ ભાવોનું ઉદ્ઘાટન પણ કર્યું છે. એમાંની થોડીક વાનગી આપણે જોઈએ :
—એક કાર્ય કરવાથી તેનું ફલ જો જલદી મળે તો તે કાર્ય ફરી ફરીને કરવાનું મન
થાય છે.
ઉપાધ્યાયજીએ એક વાત સુંદર સમજાવી છે કે–
—સમ્યગ્ જ્ઞાન-વિચારની પ્રાપ્તિ કરવી હોય તો તમો મિથ્યા-અસત્ દૃષ્ટિવાળી
૧.
સ્તુતિ ૧ શ્લોક ૨ ૨. સ્તુતિ ૧/૩
*** [212] ***