________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
તમસ્કાર ચિંતત તથા તમસ્કાર મંત્રસિદ્ધિતી પ્રસ્તાવતા
વિ. સં. ૨૦૨૩
ઇ.સન્ ૧૯૬૭
૧૯ ૨૦
નમસ્કાર ચિંતન તથા નમસ્કાર મંત્રસિદ્ધિ
સ્કાર મંત્રસિદ્ધિ પુસ્તકની મનનીય પ્રસ્તાવના)
નવકાર તથા તેનાં નામાન્તરો અંગે વિચારણા
આ પુસ્તકનું નામ ‘નમસ્કારમંત્રસિદ્ધિ' આપવામાં આવ્યું છે. આ નામકરણ જે પાઠને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે એ પાઠ પ્રાકૃત છે, અને એના કારણે એનું શાસ્ત્રોક્ત નામ 'નમુધાર કે મોજાર છે. સૂત્ર હોવાથી તેની આગળ મુર્ત્ત જોડાતા નવુ (મો)ાર મુર્ત્ત
૧. સિદ્ધહે. શ. ૮, ૧,૬૨ ના નિયમથી પ્રાકૃત ભાષામાં આદિ ‘ન’ નો વિકલ્પે ‘' થાય છે, તેથી મોકાર, નમુક્કાર તેનાં વૈકલ્પિક રૂપો છે. નમસ્કાર અર્થમાં ત્રીજું ળોધાર (૧૩૩ પિ. રૂ.૬.) એવું રૂપ પણ મલે છે. એ તમામમાંથી રૂપાંતર પામેલું ચોથું નવાર રૂપ પણ મલે છે. જેમ શ્રમણ ભગવાન મહાવીરનું જન્મદત્ત મૂલનામ પ્રસિદ્ધિને ન પામતાં દેવકૃત ‘મહાવીર’ નામ જગપ્રસિદ્ધ બની ગયું, તેવું જ આ સૂત્રને માટે થયું છે. આનાં પ્રારંભિક નામો અપ્રચલિત બન્યાં અને ‘નવકાર’ નામ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. આજે આ જ નામ આબાલવૃદ્ધ વર્ગમાં પ્રચલિત છે.
એના અપભ્રંશરૂપે ‘નવકાર'માંથી ટૂંકા વહેવારરૂપે લોકોએ ‘નોકાર’ એવા રૂપને જન્મ આપ્યો. એના ઉપરથી જાપ જપવાની માળાનું નામ પણ ‘નવકારવાળી’ પડ્યું. ભલે માળા ઉપર બીજા અનેક જાપો જપાતા હોય પણ જૈનોની માળાને ‘નવકારવાળી જ' કહેવાય. એ રીતે આબાલવૃદ્ધમાં આ વ્યવહાર સર્વત્ર પ્રવર્તે છે.
આ ઘટના એક સૂચન કરે છે કે ભલે બીજા જાપો જપો પણ માળાના નામને ચિરતાર્થ કરવા ‘નવકારમંત્ર’થોડો પણ ગણજો.