________________
૩. તૃતીય પ્રકરણ “જૈન દર્શનનું પ્રદાનમાં જૈન દર્શનના મહત્ત્વપૂર્ણ વારસાનું - અર્થાત્ અનેકાન્તદષ્ટિ, સ્યાદ્વાદભાષા, અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપ, ધર્મજ્ઞતા-સર્વજ્ઞતાવિવેક, પુરુષપ્રામાણ્ય, નિરીશ્વરવાદ, કર્મણા વર્ણવ્યવસ્થા, અનુભવની પ્રમાણતા અને સાધ્યની જેમ સાધનની પવિત્રતાનો આગ્રહ આદિનું - સંક્ષેપમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે.
૪. ચતુર્થ પ્રકરણ “લોકવ્યવસ્થામાં આ વિશ્વની વ્યવસ્થા જે ઉત્પાદ આદિ ત્રયાત્મક પરિણામી સ્વભાવના કારણે સ્વયમેવ છે તે પરિણામવાદનું, સન્ના સ્વરૂપનું અને નિમિત્ત-ઉપાદાન આદિનું વિવેચન છે. સાથે સાથે જ વિશ્વની વ્યવસ્થાના સંબંધમાં જે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, પુરુષવાદ, કર્મવાદ, ભૂતવાદ, યદચ્છાવાદ અને અવ્યાકૃતવાદ આદિ વાદો પ્રચલિત હતા તેમની આલોચના કરીને ઉત્પાદાદિત્રયાત્મક પરિણામવાદની સ્થાપના કરવામાં આવી છે. આધુનિક ભૌતિકવાદ, વિરોધ સમાગમ અને દ્વન્દુવાદની તુલના અને મીમાંસા પરિણામવાદ સાથે કરવામાં આવી છે.
૫. પાંચમા પ્રકરણ પદાર્થ સ્વરૂપમાં પદાર્થના ત્રયાત્મક સ્વરૂપને સમજાવી, ગુણ અને ધર્મની વ્યાખ્યા આદિ કરીને અર્થના સામાન્યવિશેષાત્મત્વનું સમર્થન કરવામાં આવ્યું છે.
૬. છઠ્ઠા પ્રકરણ “ષટું દ્રવ્યનું વિવેચનમાં જીવદ્રવ્યના વિવેચનમાં વ્યાપક આત્મવાદ, અણઆત્મવાદ, ભૂતચૈતન્યવાદ આદિની મીમાંસા કરીને આત્માને કર્તા, ભોક્તા, સ્વદેહપ્રમાણ અને પરિણામી સિદ્ધ કરવામાં આવેલ છે. પુદ્ગલ દ્રવ્યના વિવેચનમાં પુદ્ગલોના અણુ-સ્કન્ધ બે ભેદ, સ્કન્ધની પ્રક્રિયા, શબ્દ, બન્ધ આદિના પર્યાયત્વની સિદ્ધિનું નિરૂપણ છે. તેવી જ રીતે ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાલ દ્રવ્યનું વિવિધ માન્યતાઓનો ઉલ્લેખ કરીને સ્વરૂપ દર્શાવ્યું છે. સાથે સાથે જ વૈશેષિક આદિની દ્રવ્યવ્યવસ્થા અને પદાર્થવ્યવસ્થાનો અન્તર્ભાવ દર્શાવ્યો છે. આ જ પ્રકરણમાં કાર્યોત્પત્તિવિચારમાં સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ આદિની આલોચના કરીને સદસત્કાર્યવાદનું સમર્થન કર્યું છે. '
૨૩