Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
વેદના અને નિજર "
અe નરયિક જીવો નરકમાં સો વરસે, અનેક સો વરસે, કે હજાર વરસે ખપાવે ? – ના. . - બે ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક હજાર વરસે, અનેક હજાર વરસે કે એક લાખ વરસે ખપાવે ? – ના.
ત્રણ ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરોડ વરસે ખપાવે ? –– ના.
ચાર ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરિયક એક કરોડે વરસે, અનેક કરોડ વરસે કે કટાકોટી વરસે ખપાવે ? – ના.
ગૌત્ર – હે ભગવન! એ પ્રમાણે આપ શા હેતુથી કહે છે?
ભ૦ – હે ગૌતમ ! કોઈ ઘરડે, જર્જરિત શરીરવાળો, ઢીલાં અને વળિયાંવાળાં ગાત્રવાળા, પડી ગયેલા દાંતવાળે, તથા ગરમી, તરસ, દુઃખ, ભૂખ, દુર્બળતા અને માનસિક કલેશવાળો પુરુષ મેટા કેશંબ વૃક્ષની સૂકી, ગાંઠેાવાળી, ચીકણી, વાંકી અને નિરાધાર રહેલી ગંડેરી ઉપર બુટ્ટા પરશુ વડે પ્રહાર કરે, તો ગમે તેટલા મોટા હુંકાર કરવા છતાં તેના મોટા મોટા કકડા પણ ન કરી શકે; તે પ્રમાણે નરયિકાએ પોતાનાં પાપકર્મો ગાઢ કર્યા છે, તથા ચીકણું કર્યો છે, તેથી તેઓ અત્યંત વેદના અનુભવવા છતાં, નિર્જરા અને નિર્વાણુરૂપ ફળવાળા થતા નથી. પરંતુ કોઈ તરુણ, બલવાન, મેધાવી,
અને નિપુણ કારીગર પુરુષ મોટા શીમળાની લીલી, જટા વિનાની, ગાંઠે વિનાની, ચીકાશ વિનાની, સીધી અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org