Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
વેદના અને નિરા ગૌ–હે ભગવન! છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં નૈરયિકે મોટી વેદનાવાળા છે; પરંતુ તેથી તે શ્રમણનિગ્રંથ કરતાં મોટી નિર્જરાવાળા છે ખરા?
મ–ના ગૌતમ! તે વાત બરાબર નથી. - ગૌ– હે ભગવન! તેમ શાથી કહે છે? - મ–હે ગૌતમ ! કઈ બે વસ્ત્રો હોય: તેમાંથી એક કદર્મના (કાદવ)ના રંગથી રંગાયેલું હોય અને બીજાં ખંજન (મેસ કે મળા)ના રંગથી રંગાયેલું હોય. તે બેમાંથી કયું વસ્ત્ર મહાકષ્ટ જોઈ શકાય તેવું, ડાઘા મટાડી શકાય તેવું, તેમ જ ચળકાટ કે ચિતરામણુ કરી શકાય તેવું કહેવાય ?
ગૌ–હે ભગવન ! કર્દમથી રંગેલું મહાકટે જોઈ શકાય તેવું કહેવાય.
મહ–હે ગૌતમ ! એ જ પ્રમાણે નરયિકાનાં પાપકર્મ ગાઢ, ચીકણું, લિષ્ટ, તથા ખિલીભૂત છે, તેથી તેઓ ગાઢ વેદના ભોગવતા હોવા છતાં મેટી નિર્જરાવાળા નથી કે મોટા પર્યવસાન (નિર્વાણુરૂપ ફળ) વાળા નથી.
વળી, જેમ એરણ ઉપર મેટા અવાજથી નિરંતર ઉપરાઉપરી ઘણના પ્રહાર કરવામાં આવે તો પણ તેનાં રજકણ છૂટાં પડી જતાં નથી, તેમ નૈરયિકાનાં પાપકર્મો ગાઢ હોવાથી બહુ વેદના થવા છતાં મોટા પ્રમાણમાં ખરી જતાં નથી.
અર્થાત સામાન્ય રીતે મેટી વેદનાવાળા જીવ મેટી નિર્જરાવાળો હોય છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ નારકી જીવોનાં પાપકર્મ દુર્વિધ્ય હોવાથી મટી વેદનાવાળાં હોય છે, પણ મેટી નિર્જરાવાળાં નથી હોતાં. તેમ જ શ્રેષ્ઠ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org