________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
| જીવ અને કર્મનો સંબંધ છે
(તર્કદષ્ટિએ અનાદિની સિદ્ધિ) જગતમાં પહેલું કોણ ? જીવ કે કર્મ ?
આ બે વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પહેલાં હતી અને પછી બીજી વસ્તુ ઉત્પન્ન થઈ. એવું નક્કી થાય તો અમુકવખતે જીવ અને કર્મનાં સંયોગ ની આદિ થઈ કહેવાય. દા.ત. અહીં ટેબલ પડ્યું છે. અને કોઈક વ્યક્તિએ તેના ઉપર પેન મૂકી તો ટેબલ અને પેનનાં સંયોગ = સંબંધની આદિ= શરૂઆત થઇ કહેવાય.
આ પ્રમાણે જીવ અને કર્મમાં પણ પહેલું “આ” પછી “આ” એવો નિર્ણય થાય તો જીવ અને કર્મનાં સંયોગની “આદિ” સિદ્ધ થાય. પરંતુ જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી.
જેમ મરઘી અને ઈડામાં, અથવા પિતા-પુત્રમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી તેમ જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. - જો તમે એમ કહેશો કે પહેલાં મરઘી હતી પછી ઈડું થયું તો ઈડા વિના મરઘી કેવી રીતે હોઈ શકે ?
વળી, જો તમે એમ કહેશો કે પહેલું ઈંડુ હતુ અને પછી મરઘી થઈ. તો પ્રશ્ન થશે કે મરઘી વિના ઈડુ ક્યાંથી આવ્યું ? અથવા જો તમે એમ કહેશો કે પહેલાં પિતા હતા પછી પુત્ર થયો. તો તે વ્યક્તિ કોઈનો પણ પુત્ર થયા વિના પિતા ક્યાંથી બન્યો ? વળી જો તમે એમ કહેશો કે પહેલાં તે પુત્ર હતો પછી પિતા થયો. તો તેનો પિતા કોઈક તો હોવો જોઈએ ને ? કારણકે પિતા વિના પુત્ર કેવી રીતે હોય ?
આમ પિતા-પુત્ર, અને મરઘી-ઈડુ એ યુગલમાં પહેલું કોણ તેનો નિર્ણય થઈ શક્તો નથી તેમ જીવ અને કર્મમાં પણ પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી.
જો તમે એમ કહેશો કે પહેલું કર્મ છે. અને પછી જીવ છે. તો જીવ વિના કર્મ કેવી રીતે હોઈ શકે? કારણકે જીવના સંસર્ગથી જ કાર્માસ્કંધો કર્મસંશક બને છે. માટે જીવ વિના કર્મ ન હોય.
For Private and Personal Use Only