________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉલ્ટી થઈ જાય ક્યારેક સારી વસ્તુ હોય પણ અનુકૂળ ન હોય તો તેના પ્રત્યે તિરસ્કાર થાય. એટલે સારી કે ખરાબ કોઇપણ વસ્તુ પ્રત્યે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થવો, મુખ બગડી જવું તે જુગુપ્સા કહેવાય. તેનું કારણ જુગુપ્સાનોકષાયમોહનીયકર્મ છે. “અજુગુપ્સગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને જુગુપ્સાનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
અહીં હાસ્યાદિ એ કાર્ય હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ગંભીરતાદિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને હાસ્યાદિનોકષાયમહનીયકર્મ કહ્યું છે. વેદત્રિકનું સ્વરૂપपुरिसिस्थितदुभयंपइ, अहिलासो जव्वसा हवइ सो उ। થી-નર-નપુડો , ફેમ-ત-નવારવાદનો અરરા पुरुष-स्त्री-तदुभयं प्रत्यभिलाषो यद्वशाद् भवति स तु । स्त्री नर-नपुंसकवेदोदयः फुफुमा-तृण-नगरदाहसमः ॥ २२ ॥
ગાથાર્થ :- પુરુષ, સ્ત્રી અને તે બન્નેનાં પ્રતિ અભિલાષ જે કર્મના વશથી થાય છે. તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ જાણવો. તેનો ઉદય ક્રમશઃ બકરીની લીંડી, તૃણ અને નગરના અગ્નિસમાન છે. વિવેચન :- આત્માનું અસલી સ્વરૂપ અવેદી છે.
“અવેદી અવસ્થાને ઢાંકનાર કાર્યણસ્કંધોને વેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
વેદનોકષાયમહનીયકર્મને લીધે, જીવને પોતાની વિજાતીય તરફ મોહ ઉત્પન્ન થવાથી વિષયાભિલાષની લાગણી ઉત્પન્ન થાય છે. હાસ્યાદિ કરતાં વેદની લાગણીમાં તીવ્રતા અને આવેશ વધુ હોવાથી લાગણીનું વદન (અનુભવન) સ્પષ્ટ અને લાંબો વખત સુધી થાય છે. માટે તેનું નામ વેદ પાડ્યું છે.
વેદ એ રસની તરતમતાને લીધે ત્રણ પ્રકારે છે. તેમાં, (૧) “અવેદી અવસ્થાને ઢાંકનાર તીવરસયુક્ત કામસ્કંધોને સ્ત્રીવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
જેમ પિત્તના પ્રકોપથી મિષ્ટાન ખાવાની ઈચ્છા થાય છે. તેમ સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે વિષયભોગની ઇચ્છા થાય છે. સ્ત્રીવેદનો ઉદય બકરીની
૧૪૩
For Private and Personal Use Only