________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા.ત. આંગળી, કાન, નાક, આંખ વગેરે. (૩) “ઉપાંગના અવયવો (વિભાગ)ને અંગોપાંગ કહેવાય છે.” દા.ત. આંગળીના વેઢા, રેખા, નખ, પાંપણ, વાળ, રૂંવાટા વગેરે
દારિકશરીર, વૈક્રિયશરીર અને આહારકશરીરને જ અંગોપાંગ હોવાથી અંગોપાંગનામકર્મ ૩ પ્રકારે છે.
(૧) દારિકશરીરાંગોપાંગ (૨) વૈક્રિયશરીરાંગોપાંગ (૩) આહારકશરીરાંગોપાંગ (૧) દારિકયુગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરેને દારિકરિરસંગોપાંગ કહેવાય. તેનું કારણ દારિકશરીરાંગોપાંગનામકર્મ છે.
ઔદારિક શરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ ઔદારિકશરીરરૂપે પરિણામ પામેલા યુગલોમાંથી ઔદારિકશરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.”
(૨) વૈક્રિય પુદ્ગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરે વૈક્રિયશરીરસંગોપાંગ કહેવાય. તેનું કારણ વૈ. શરીર અંગોપાંગનામકર્મ છે.
વૈશિરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલોમાંથી વૈક્રિયશરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.”
(૩) આહારક પુદ્ગલસ્કંધોના બનેલા હાથ, પગ, માથુ વગેરે આહારકશરીર માંગ કહેવાય. તેનું કારણ આ.શ. અંગોપાંગનામકર્મ છે.
આહારક શરીરાંગોપાંગ નામકર્મના ઉદયથી જીવ આહારકશરીર રૂપે પરિણામ પામેલા પુદ્ગલોમાંથી આહારક શરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગ બનાવે છે.”
ઔદારિકશરીરઅંગોપાંગ એ ઔદારિક પુદ્ગલોના બનેલા છે. તે કાર્યરૂપ છે. તેનું કારણ ઔદારિકશરીર અંગોપાંગનામકર્મ છે એ કાર્મણસ્કંધોનું બનેલું હોઈ નામકર્મની એક ઉત્તરપ્રકૃતિ છે. માટે ઔદારિકશરીરસંગોપાંગ અને ઔદારિકશરીરાંગોપાંગનામકર્મ એ બન્ને ભિન્ન છે. એ રીતે વૈ.શરીરાંગોપાંગ અને વૈશિ. અંગોપાંગનામકર્મ તથા આહારકશરીરાંગોપાંગ અને આહારક શરીરાંગોપાંગનામકર્મનો તફાવત સમજી લેવો.
તૈજસશરીર અને કાર્યણશરીરને અંગોપાંગ હોતા નથી કારણ કે તે બન્ને
૧૭૭
For Private and Personal Use Only