Book Title: Pratham Karmagranth Karmavipak
Author(s): Harshagunashreeji
Publisher: Omkar Sahitya Nidhi

View full book text
Previous | Next

Page 265
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ અનંતભોગશકિતનો માલિક હોવાથી જગતમાં રહેલી સંપૂર્ણ ભાગ્ય વસ્તુનો ભોગવટો કરી શકે તેમ છે. પણ કોઇક વિદ્ઘ આવી જવાથી ભોગવી ન શકે તે “ભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ભોગાન્તરાયકર્મ છે. “અનંતભોગશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને ભોગાન્તરાયકર્મ કહેવાય.” ભોગાન્તરાયકર્મના ઉદયથી, આહારદિ ભોગ્ય વસ્તુ અઢળક હોય, પોતે તેનો ત્યાગી ન હોય, છતાં પણ તે ભોગ્યવસ્તુ ભોગવી શકતો નથી. દા.ત. મમ્મણશેઠ. (૪) ઉપભોગાન્તરાય કર્મ :- ૩+મુન્ ધાતુને અર્થ ઉપભોગ કરવો. જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપભોગ્ય કહેવાય.” દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે. જીવ અનંત ઉપભોગશકિતનો માલિક હોવાથી, જગતમાં રહેલી તમામ ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકે તેમ છે. પણ કોઈક વિધૂ આવી જવાથી ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકતો નથી તે “ઉપભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ઉપભોગાન્તરાયકર્મ છે. અનંત ઉપભોગશકિતને ઢાંકનાર કાર્મણધોને ઉપભોગાત્તરાયકર્મ કહેવાય.” ઉપભોગાન્તરાયકર્મના ઉદયથી જીવની પાસે અલંકારાદિ ઉપભોગ્ય વસ્તુ હોય, તેનો ત્યાગ કરેલો ન હોય, છતા પણ તે વસ્તુનો ઉપભોગ કરી શકતો નથી. દા.ત. વિધવા સ્ત્રી. (પ) વીર્યાન્તરાયકર્મ :- “વીર્ય = આત્મિક શકિત.” વીર્યનો અર્થ યોગ, શકિત, ઉત્સાહ, બળ, પરાક્રમ વગેરે થાય છે. જીવ અનંતશકિતનો માલિક હોવાથી, મેરુ ને દંડ અને જંબૂદ્વીપને છત્ર કરવા રૂપ જગતને ઉથલ-પાથલ કરી નાખવાની શકિત છે. એટલે કે જીવ અંનતવીર્યનો માલિક છે. અનંતવીર્યગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને વર્યાન્તરાયકર્મ કહેવાય.” વીર્ય- ૩ પ્રકારે છે. (૧) આવૃતવીર્ય (૨) લબ્ધિવીર્ય (૩) કરણવીર્ય. (૧) “જેટલું આત્મિકવીર્ય કર્યદ્વારા ઢંકાયેલું હોય તેને આવૃતવીર્ય કહેવાય.” ૨ ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338