________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેઠો મન:પર્યવજ્ઞાન દ્વારા અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં વિચારને અનુરૂપ જે જે આકારે મનોદ્રવ્ય ગોઠવાઈ ગોઠવાઈને આકાશમાં ફેંકાય છે તે તે મનોદ્રવ્યની આકૃતિને સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
અહીં ખાસ ધ્યાન રાખવું કે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવે જે જે વસ્તુ સંબંધી વિચાર કર્યો હોય તે તે વસ્તુનાં આકાર પ્રમાણે ગોઠવાયેલાં મનોદ્રવ્યને જ મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષ જોઈ શકે છે. વસ્તુને નહીં. વસ્તુ તો અનુમાનથી જણાય છે.
જેમ કુશળ વૈદ્ય મુખાકૃતિ વિગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલાં રોગને અનુમાનથી જાણી શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યની આકૃતિને પ્રત્યક્ષ જોઈને અનુમાન કરે છે. કે આ જીવે આ વસ્તુ સંબંધી અમુક વિચાર કર્યો હશે.
દા. ત. કોઈ જીવ મેરૂપર્વત સંબંધી ચિંતન કરતો હોય તો એ વખતે મનોયોગ્યપુદ્ગલસ્કંધો મેરૂપર્વતનાં આકારે ગોઠવાઈ જાય છે. એ મેરૂ પર્વતની મનોદ્રવ્યાકૃતિને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ દેખી શકે છે. અને તે મનોદ્રવ્યાકૃતિ ઉપરથી મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે આ જીવે મેરૂપર્વત સંબંધી અમુક વિચાર કર્યો હશે. કેમકે એવા વિચાર વિના મેરૂ પર્વતની આવી આકૃતિ હોઈ શકે નહીં.
આ પ્રમાણે, મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યાકૃતિરૂપી લિંગથી મેરૂપર્વતરૂપી લિંગીનું અનુમાન કરે છે. માટે મન:પર્યવજ્ઞાની અનુમાનદ્વારા સંજ્ઞી જીવનાં વિચારોને જાણી શકે છે. આ અનુમાન સત્ય હોય છે. તેનો સમાવેશ ^મતિજ્ઞાનમાં થાય છે.
કેવળજ્ઞાન -સંપૂર્ણ લોકાલોકમાં રહેલી, ત્રણેકાળની, સર્વવસ્તુની, સર્વ અવસ્થાઓ અર્થાત્ સર્વદ્રવ્યોનાં સર્વપર્યયોને એકી સાથે સાક્ષાત આત્મા
A. મતિજ્ઞાન. ૨ પ્રકારે છે.
(૧) પ્રત્યક્ષમતિજ્ઞાન. (૨) પરોક્ષમતિજ્ઞાન.
(૧) શબ્દાર્થની વિચારણા વિનાનું, ઇન્દ્રિય અને મન દ્વારા થતું સ્પષ્ટ જ્ઞાન તે પ્રત્યક્ષમતિજ્ઞાન કહેવાય.
(૨) લિંગ ઊપરથી લિંગીનું અનુમાન કરવું તે પરોક્ષ મતિજ્ઞાન કહેવાય. ધૂમ દ્વારા અગ્નિનું, “ધજા દ્વારા જિનાલયનું, મેરૂ પર્વતાકારે ગોઠવાયેલાં મનોદ્રવ્ય ઉપરથી મેરૂપર્વતનું અનુમાન કરવું તે પરોક્ષમતિજ્ઞાન કહેવાય.
૪૫
For Private and Personal Use Only