________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનું અસલી સ્વરૂપ જે વીતરાગતા છે. તે ક્ષમા + નમ્રતા + સરલતા + સંતોષનાં સમૂહરૂપ છે. એટલે “ક્ષમાનમ્રતા+ સરલતા સંતોષ = વીતરાગતા” હોવાથી તેને ઢાંકનાર કાર્મણસ્કંધો પણ ૪ વિભાગમાં વહેંચાઈ કે જાય છે. માટે કષાયમોહનીયકર્મ ૪ પ્રકારે કહ્યું છે. (૧) “ક્ષમાગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને ક્રોધકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
ક્ષમાગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી, ઈષ્ટ વસ્તુને ઝુંટવી લેનાર, ચોરી જનાર, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં વિધ્ર ફેંકનાર, વગેરે પ્રત્યે જીવને ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તેનું મોંઢું લાલચોળ થઈ જાય, શરીર ધ્રુજવા મંડે ઇત્યાદિ વિકૃત સ્વભાવને શાસ્ત્રીય પરિભાષામાં “ક્રોધ” કહેવાય છે. તેનું કારણ ક્રોધકષાયમહનીયકર્મ છે. (૨) “નમ્રતાનુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને માનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
- નમ્રતા ગુણ કર્મદ્વારા ઢંકાયેલો હોવાથી પુણ્યોદયે અનુકૂળ પદાર્થ મળી જતા, જીવમાં અહંકાર આવી જાય છે. જીવના એ વિકૃત સ્વભાવને શાસ્ત્રીય પરિભાષામાં “માન” કહેવાય છે. તેનું કારણ માનકષાય મોહનીયકર્મ છે.
(૩) “સરલતા ગુણને ઢાંકનાર કાર્મણકંધોને માયાકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
સરલતાગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને અનુકૂળ પદાર્થની પ્રાપ્તિ માટે કપટ કરવાનું મન થઈ જાય છે. એ વિકૃતવૃત્તિને શાસ્ત્રીય પરિભાષામાં “માયા” કહેવાય છે. તેનું કારણ માયાકષાય ચારિત્રમોહનીયકર્મ છે. (૪) “સંતોષ ગુણને ઢાંકનાર કાર્માસ્કંધોને લોભ કષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
સંતોષગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગ થતાં, તેને મેળવવાની ઈચ્છા થાય છે. મેળવ્યા પછી મમત્વને કારણે
૧૨૪
For Private and Personal Use Only