________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિ+અક્ષ = પ્રત્યક્ષ. અહીં અક્ષ શબ્દનો અર્થ આત્મા કરવો. (૧) સાક્ષાત્ આત્મા દ્વારા વસ્તુનો જે બોધ થાય તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય.
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાનને ““સકલ પ્રત્યક્ષ' કહેવાય છે તથા અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને “દેશ પ્રત્યક્ષ” કહેવાય છે. (૨) જેમ લંગડા માણસને ચાલવાની સાહજિક શક્તિ ગુમાવી દેવાથી, લાકડીની સહાયતાં લેવી પડે છે. તેમ જ્ઞાનાવરણીયકર્મને લીધે “જાણવાની" સાહજિક આત્મિક શક્તિ ઢંકાઈ જવાથી સાક્ષાત્ આત્મા દ્વારા વસ્તુનો બોધ નથી થતો ત્યારે, જીવને ઇંદ્રિય અને મનની સહાયતા લેવી પડે છે. કારણ કે ઇંદ્રિયનો પદાર્થની સાથે સંયોગ થાય ત્યારે ઈદ્રિયને વસ્તુનાં વિષયનો બોધ થતાં તુરત જ તે મનને ખબર આપે છે. મન તુરત આત્માને ખબર આપે છે. ત્યારે આત્માને તે વસ્તુના વિષયનો બોધ થાય છે. એટલે મન અને ઈદ્રિયની સહાયતાથી આત્માને જે બોધ થાય છે તેને પરોક્ષજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે.
જ્ઞાનના ભેદ-પ્રભેદનું યંત્ર
,
પક્ષ
પ્રત્યક્ષ
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવ-જ્ઞાન કેવળજ્ઞાન
૨૮ +
૧૪ +
૬ +
૨
+
૧ + કુલ= ૫૧
S
For Private and Personal Use Only