________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇહાનો કાળ અંતર્મુહૂર્ત છે.
(૩) અપાય :- ઈહા દ્વારા વસ્તુનો નિર્ણયાભિમુખી બોધ થયા પછી “તે આ જ છે” એવો જે નિશ્ચયાત્મક બોધ થાય છે. તે અપાય કહેવાય. દા.ત. ‘‘આ વૃક્ષનું ઠૂંઠું જ છે. મનુષ્ય નથી” એવો જે નિર્ણય કરવો તે અપાય કહેવાય. અપાય, પાંચે ઇન્દ્રિય અને મનથી થતો હોવાથી છ પ્રકારે છે (૧) સ્પર્શેન્દ્રિયજન્યાપાય (૨) રસનેન્દ્રિયજન્યાપાય (૩) ઘ્રાણેન્દ્રિયજન્યાપાય (૪) ચક્ષુરિન્દ્રિયજન્યાપાય (૫) શ્રોત્રેન્દ્રિયજન્યાપાય. (૬) મનોજન્યાપાય. અપાયનો કાળ અંતર્મુહૂર્ત છે.
એક વસ્તુનું નિશ્ચયાત્મક જ્ઞાન થયા પછી, તે જ વસ્તુનું ઉંડાણથી જ્ઞાન કરવા માટે ફરીથી તે વસ્તુ અંગે વિચારણા શરૂ થાય છે. એટલે અપાય પછી ઈહા થાય છે. અને એ ઈહા પછી ફરીવાર અપાય થાય છે. એ પ્રમાણે એક જ વસ્તુનું ઉંડાણથી જ્ઞાન કરવા માટે જ્યાં સુધી નવા નવા વિશેષધર્મોની વિચારણા ચાલુ રહે ત્યાં સુધી ઈહા અને અપાયની ધારા ચાલુ રહે છે. તેથી પ્રથમ અપાયને છોડીને દ્વિતીયાદિ અપાયને વ્યવહારિક અર્થાવગ્રહ કહેવાય છે. અને વ્યંજનાવગ્રહ પછી જે પ્રથમ અર્થાવગ્રહ થાય છે તેને નૈૠયિક અર્થાવગ્રહ કહેવાય છે. નૈૠયિક અર્થાવગ્રહ સામાન્યગ્રાહી છે. અને વ્યવહારિક અર્થાવગ્રહ સામાન્યવિશેષાવગ્રાહી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ધારણા :- અપાયમાં થયેલા નિર્ણયને વર્ષો સુધી યાદ રાખવો અથવા અપાયથી નિર્ણીત થયેલા પદાર્થનું કાલાન્તરે પણ સ્મરણ થઇ શકે એવાં સંસ્કારવાળા જ્ઞાનોપયોગને ધારણા કહેવાય છે.
ધારણા ૩ પ્રકારે છે.
(૧) અવિચ્યુતિ ધારણા, (૨) વાસનાધારણા, (૩) સ્મૃતિધારણા. (૧) અવિચ્યુતિધારણા - અ = નહીં વિચ્યુતિ = નાશ.
-
ઉપયોગ (બુદ્ધિવ્યાપાર) નો નાશ ન થવો તે અવિચ્યુતિ.
- અપાયથી નિદ્ભૂત થયેલી વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્તકાળ સુધી એવો
–
ને એવો ટકી રહે તે અવિચ્યુતિધારણા કહેવાય અવિચ્યુતિધારણાનો કાળ અંતર્મુહૂર્તનો છે.
(૨) વાસના ધારણા :- અવિચ્યુતિથી આત્મામાં તે વસ્તુનાં સંસ્કાર પડે છે. એ સંસ્કારને વાસના કહેવાય. વાસનાનો કાળ સંખ્યાત કે અસંખ્યાત
૬૦
For Private and Personal Use Only