________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અવાજ મધુર છે. બિહામણો નથી માટે વાજિંત્રોનો હોવો જોઇએ.
મેઘગર્જનાનો ન હોય. એવી વિચારણાવાળું જ્ઞાન તે અલ્પગ્રાહિણી ઈહા કહેવાય. ' “વાજિંત્રોનો જ અવાજ છે. મેઘગર્જના નથી” એવો જે નિર્ણય કરવો
તે અલ્પગ્રાહી અપાય કહેવાય. (૫) “આવા પ્રકારનો અવાજ વાજિંત્રોનો જ હોય એવું વર્ષો સુધી યાદ
રાખવું તે અલ્પગ્રાહિણીધારણા કહેવાય. (૩) બહુવિધગ્રાહી:- તીવ્રબુદ્ધિવાળો મનુષ્ય ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને અનેક ધર્મ (ગુણ) યુક્ત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય બહુવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
દા.ત. ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં છે. તેમાં “આ શંખનો અવાજ છે. તે યુવાન પુરુષજન્ય છે.” “આ વીણાનો અવાજ છે તે પ્રૌઢ સ્ત્રીજન્ય છે આ હારમોનિયમનો અવાજ માધુર્યાદિ ગુણોથી યુક્ત છે.
એ રીતે, અનેકગુણયુક્ત શબ્દને જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય બહુવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. તે ૫ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો અનેકધર્મયુક્ત
જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે બહુવિધગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો અનેકધર્મયુક્ત જે અસ્પષ્ટ બોધ થાય તે બહુવિધગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. ' વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી આ શંખનો અવાજ યુવાનપુરુષજન્ય હોવો જોઈએ સ્ત્રીજન્ય નથી” એવી વિચારણાવાળું જ્ઞાન તે બહુવિધગ્રાહિણી ઈહા કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી આ શંખનો અવાજ યુવાન પુરુષજન્ય જ છે સ્ત્રી જન્ય નથી” એવો જે નિર્ણય તે બહુવિધગ્રાહી
અપાય કહેવાય. (૫) “આવા પ્રકારનો શંખનો અવાજ યુવાન પુરુષ જન્ય હોય”
એવું વર્ષો સુધી યાદ રાખવું તે બહુવિધગ્રાહિણીધારણા કહેવાય. (૪) અલ્પવિધગ્રાહી :- (અબહુવિધગ્રાહ) મંદબુદ્ધિવાળો મનુષ્ય ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને એકાદ બે ધર્મસહિત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અલ્પવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
For Private and Personal Use Only