________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જૈનધર્મના મંત્રોચ્ચારરૂપ લિંગ વિના જ જિનાલયનો જે અસ્પષ્ટબોધ થાય તે અનિશ્રિતગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) લિંગ વિના પણ આ જિનાલય હોવું જોઈએ મંદિર ન હોય એવી જે વિચારણા તે અનિશ્રિતગ્રાહી ઈહા કહેવાય. (૪) જૈનધર્મનાં મંત્રોચ્ચારાદિ ન હોવા છતાં પણ આ જિનાલય જ છે. મંદિર નથી. એવો જે નિર્ણય કરવો તે અનિશ્રિતગ્રાહી અપાય કહેવાય. (૫) એ નિર્ણયને વર્ષો સુધી યાદ રાખવો તે અનિશ્રિતગ્રામિણી ધારણા કહેવાય. (૯) અસંદિગ્ધગ્રાહી :
કોઈપણ સંદેહ વિનાં ચોક્કસપણે શબ્દોને સાંભળી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
દા.ત. આ મેઘગર્જના જ છે. સિંહનાદ નથી.
શ્રોત્રેન્દ્રિયજન્ય અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) શબ્દોનો ચોક્કસપણે અત્યંત અસ્પષ્ટ બોધ થવો તે અસંદિગ્ધગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) શબ્દોનો ચોક્કસપણે અસ્પષ્ટ બોધ થવો તે અસંદિગ્ધગ્રાહી અથવગ્રહ કહેવાય. (૩) આકાશમાં ઘનઘોર વાદળું દેખાય છે માટે મેઘગર્જના જ હોવી જોઈએ સિંહનાદ ન હોય. એવું નિશ્ચિતાત્મક વિચારણાવાળું જે જ્ઞાન તે અસંદિગ્ધગ્રાહિણી ઈહા કહેવાય. (૪) આ મેઘગર્જના જ છે. સિંહનાદ નથી એવો નિશ્ચિતાત્મક નિર્ણય તે અસંદિગ્ધગ્રાહી અપાય કહેવાય. (૫) એ નિશ્ચિતાત્મક મેઘગર્જનાને વર્ષો સુધી યાદ રાખવી તે અસંદિગ્ધગ્રાહિણી ધારણા કહેવાય. (૧૦) સંદિગ્ધગ્રાહી - સંદેહ સહિત શબ્દોને સાંભળે તે શ્રોત્રેન્દ્રિયજન્ય સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
દા.ત. આ મેઘગર્જના છે કે સિંહનાદ છે ? શ્રોત્રેજિયજન્ય સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) સંશયાત્મક શબ્દોનો અત્યંત અસ્પષ્ટ બોધ થવોતે સંદિગ્ધગ્રાહી વ્યંજનાવગ્રહ. (૨) સંશયાત્મક શબ્દોનો અસ્પષ્ટ બોધ થવો તે સંદિધગ્રાહી અર્થાવગ્રહ. (૩) સંશયાત્મક શબ્દોની વિચારણા તે સંદિગ્ધગ્રાહિણી ઈહા. (૪) સંશયાત્મક શબ્દોનો નિર્ણય તે સંદિગ્ધગ્રાહી અપાય.
For Private and Personal Use Only