________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) સમ્યકશ્રુત :- સમ્યક દૃષ્ટિએ રચેલાં આચારાંગાદિ ગ્રન્થો એ સમ્યકશ્રુત કહેવાય અને મિથ્યાદષ્ટિએ રચેલાં મહાભારતાદિ ગ્રન્થો એ મિથ્યાશ્રુત કહેવાય. એ મિથ્યાશ્રુત જો સમ્યકત્વીના હાથમાં આવે તો સમ્યકશ્રુત બની જાય કારણ કે સમ્યગૃદૃષ્ટિજીવ મિથ્યાશ્રુતને સમ્યફપણે પરિણાવે છે. (૬) મિથ્યાશ્રુત -: સમ્યગૃષ્ટિએ રચેલાં શાસ્ત્રો જો મિથ્યાત્વીનાં હાથમાં આવે તો, તે મિથ્યાશ્રુત બની જાય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ જીવ સમ્યકશ્રુતને મિથ્યાપણે પરિણાવે છે. માટે મિથ્યાત્વીના હાથમાં આવેલું લા પૂર્વ સુધીનું સમ્યકશ્રુત એ મિથ્યાશ્રુત બની જાય છે.
શંકા - મિથ્યાદૃષ્ટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સમ્યગૃષ્ટિની જેમ તદાવરણકર્મનો ક્ષયોપશમ થવાથી પ્રગટ થતું હોવાથી તે પણ સમ્યગુદૃષ્ટિની જેમ કબુગ્રીવાદિમાન્ય વસ્તુને ઘટાદિ જ કહે છે. માટે મિથ્યાદૃષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કેમ કહો છો ?
સમાધાનઃ- અહીં જ્ઞાન-અજ્ઞાનની વિવફા આધ્યાત્મિક દૃષ્ટિએ કરી છે. માટે અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ ન કરવો પરંતુ વિપરીતજ્ઞાન કરવો. કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો “યથાર્થ બોધ થાય તે જ્ઞાન કહેવાય. અને જેનાથી વિપરીત બોધ થાયતે બાહ્યદૃષ્ટિએ જ્ઞાન હોવા છતાં પણ આધ્યાત્મિકદૃષ્ટિએ અજ્ઞાન જ છે. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાનસ્વરૂપે હોવાના મુખ્ય ૪ કારણો છે.? સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે (૧) દરેક વસ્તુ સત્ પણ છે. અને અસત્ પણ છે દરેક વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. દરેક વસ્તુ સ્વરૂપે સત્ છે. અને પરરૂપે અસત્ છે. જેમ કે ઘટ એ ઘટ સ્વરૂપે સત્ છે. અને ઘટ એ પટ=પરરૂપે અસત્ છે. આત્મા નિત્ય છે, અને આત્માના પર્યાયો મનુષ્યાદિ અનિત્ય છે. આ રીતે દરેક વસ્તુ અનેકધર્મયુક્ત હોવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ એકાંતવાદી હોઈ “ઘટ સત્ જ છે.” “આત્મા નિત્ય જ છે.” એમ એક જ ધર્મનો સ્વીકાર કરીને બાકીનાં બધાં જ ધર્મોનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.
A. સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા જ સ્વરૂપે જાણવી. તે યથાર્થબોધ અને સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તેનાથી વિપરીત પણે જાણવી તે મિથ્યા અથવા વિપરીતબોધ. 8. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં. ૧૧૫.
For Private and Personal Use Only