________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
v + માન્ ધાતુનું સંબંધ ભૂતકૃદન્ત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ય= પ્રાપ્ત કરીને કારી = કરનાર
પદાર્થને પ્રાપ્ત કરીને (સંબંધ કરીને) સ્વવિષયનો બોધ કરનાર ઇન્દ્રિયને પ્રાપ્યકારી ઈન્દ્રિય કહેવાય છે. અને પદાર્થને નહીં પ્રાપ્ત કરીને (સંબંધ કર્યા વિના જ) સ્વવિષયનો બોધ કરનાર ઇન્દ્રિયને અપ્રાપ્યકારી ઇન્દ્રિય કહેવાય છે.
મન અને “ચક્ષુ અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. કેમકે મનનો વિષય ચિંતનમનન છે. ઘટાદિ પદાર્થોનો વિચાર કરતી વખતે મનની સાથે ઘટાદિ પદાર્થોનો સંયોગ થતો નથી. તેમજ આંખ હજારો માઈલ દૂર રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિ ને દેખે છે. ત્યારે તેની સાથે આંખનો સંયોગ થતો નથી. એટલે મન અને ચક્ષુરિન્દ્રિય, પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ સ્વવિષયનું જ્ઞાન કરી લે છે. માટે મને અને ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી કહેવાય છે.
અપ્રાપ્યકારી ઇન્દ્રિયો, પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ સ્વવિષયનો બોધ કરી લેતી હોવાથી તેનો વ્યંજનાવગ્રહ થતો નથી. પરંતુ પ્રાપ્તકારી ઇન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. માટે વ્યંજનાવગ્રહ ૪ પ્રકારે કહ્યો છે. (૧) સ્પર્શેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી શીતોષ્ણાદિનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે સ્પર્શેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) રસનેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી મધુરાદિ રસનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે રસનેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. A. નૈયાયિકો ચક્ષુરિજિયને પ્રાપ્તકારી ઇન્દ્રિય માને છે. તે લોકો કહે છે કે ચક્ષુમાંથી તેજનાં કિરણો બહાર નીકળીને, તેજો દ્રવ્યની સાથે વ્યાઘાત પામ્યા વિના, પદાર્થની સાથે સંયોગ પામીને વસ્તુનો બોધ કરાવે છે. માટે ચક્ષુરિન્દ્રિય પ્રાપ્યકારી છે. જો ચક્ષુનો પદાર્થની સાથે સંયોગ થયા વિના જ વસ્તુનું જ્ઞાન થતુ હોય તો પડદા પાછળ રહેલી વસ્તુ કેમ ન દેખી શકાય? આ વાતનું ખંડન કરતાં જૈનો કહે છે કે, જો ચક્ષુનો પદાર્થની સાથે સંયોગ થાય તો જ વસ્તુનું જ્ઞાન થતુ હોય તો આંખમાં રહેલાં અંજન રજ મેલ વગેરેને આંખ કેમ જોઈ શકતી નથી ? આંખની સાથે સંબંધિત અંજનનાં કૃષ્ણવર્ણનું ચક્ષુરિન્દ્રિય જ્ઞાન કરી શકતી નથી તેમજ દાવાનલાદિને વિષે વ્યાઘાત દેખાતો હોવાથી ચક્ષુરિન્દ્રિય પ્રાણકારી નથી. તેમજ ચક્ષુરિન્દ્રિય પડદાની પાછળ રહેલી વસ્તુને જોઈ શકતી નથી એવો એકાંતે નિયમ નથી કારણકે કાચ, અબરખ કે સ્ફટિકની પાછળ રહેલી વસ્તુને જોઈ શકે છે. પરંતુ ભીંત વગેરેની પાછળ રહેલી વસ્તુને જોઈ શકાતી નથી. જેમ લોહચુંબકની શક્તિ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જ ખેંચી શકવાની છે. તેમ ચક્ષુરિન્દ્રિયની શક્તિ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જ જોઈ શકવાની છે. માટે આંખ પદાર્થની સાથે સંયોગ પામ્યા વિના જ યોગ્ય દેશમાં રહેલી વસ્તુને જોઈ શકતી હોવાથી અપ્રાપ્યકારી છે.
૫૭.
For Private and Personal Use Only