________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) દૂધમાં મીઠાશ ઓછી છે કે વધુ એ પણ તે જ વખતે નક્કી થઈ
જાય છે. (૪) તે ગાયાદિ કેટલું દૂધ આપશે ? તેનું પ્રમાણ (માપ) પણ એ વખતે જ
નક્કી થઈ જાય છે. આ રીતે, જીવ જે સમયે કાર્મણસ્કંધો ગ્રહણ કરીને કર્મરૂપે પરિણાવે છે. “તે જ સમયે” “તેમાં,” (૧) આત્માના જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિ આપવાની શક્તિ=
સ્વભાવ ઉત્પન્ન થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં પ્રકૃતિ કહેવાય. (૨) તે સ્વભાવ કર્મદલિકોમાં કેટલો વખત ટકી રહેશે તેનો પણ તે જ સમયે
નિર્ણય થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં સ્થિતિ કહેવાય. (૩) વળી તે સ્વભાવ કેવા પ્રકારના જુસ્સા (પાવર) થી, શુભાશુભ ફળનો અનુભવ
કરાવશે એ પણ તેજ સમયે નક્કી થાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં
રસ કહેવાય. (૪) જીવ દ્વારા ગ્રહણ કરાતા કાર્મણસ્કંધો, ભિન્ન-ભિન્ન સ્વભાવ રૂપે પરિણામ પામતી વખતે સ્વભાવ દીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મદલિકોના જથ્થાને શાસ્ત્રીય પરિભાષામાં પ્રદેશ કહેવાય. (૧) પ્રકૃતિબંધ :- સ્વભાવનો નિર્ણય થવાપૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે
એકાકાર થવું તે પ્રકૃતિબંધ કહેવાય. (૨) સ્થિતિબંધ -તે તે સ્વભાવનો અમુક સમય સુધી કર્મદલિકોમાં રહેવાનો
નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે સ્થિતિબંધ
કહેવાય. (૩) રસબંધ :- ઓછા-વધતાં પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો
નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મ પ્રદેશની સાથે એકાકાર થવું તે રસબંધ
કહેવાય. (૪) પ્રદેશબંધ - સ્વભાવદીઠ દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ
કર્મ દલિતોનું આત્મપ્રદેશની સાથે એકાકાર થવું તે પ્રદેશબંધ કહેવાય.
આ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની અપેક્ષાએ કર્મબંધ ૪ પ્રકારે છે.
૩૧
For Private and Personal Use Only