________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨)
[શત્રુંજય પર્વત -~-~ -~-~
~-~-~~
શત્રુંજય પર્વત ઉપરના લેખો.
* શત્રુજય પર્વત જૈન ધર્મમાં સૌથી મોટું તીર્થ મનાય છે. તેના ઉપર સેંકડે જિનમન્ટિ અને હજારે જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખે મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણે ઘણું છે. જેમાં સૌથી મોટું કારણ તેના ઉપરના મંદિરનું વારંવાર જે સ્મારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતે તરફ લેકેનું વિશેષ લક્ષ્ય ન કહેવાથી, મન્દિરને પુનરૂદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખે વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તે અયોગ્ય રીતે ભીતિ ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચુને, સીમેટ, ચા કળી આદિ પણ આવા શિલાપ ઉપર લગાડી દીધેલાં લેવામાં આવે છે. કર્નલ ટેડ ના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયે પણ આપસની ઈર્ષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખેને નષ્ટ કરવામાં
હે ભાગ ભજવ્યો છે. આવાં અનેક કારણોને લીધે શત્રુજ્ય ઉપર બહુજ પ્રાચીન કે મહત્વના શિલાલેખાનું અસ્તિત્વ રહ્યું નથી.
મુંબઈ સરકારના આએિલેંજીકલ સર્વે તરફથી મી, કાઉન્સે ( Cousens) ઈસ. ૧૮૮૮-૮૯માં, આ પર્વત ઉપરના બધા લેબનીનકલે લીધી હતી. આ લેખમાં, ૧૧૮ લેખે તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપીગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphia indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મેકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઈતિહાસ ડે. જી. બુલ્ડર (Dr. G. Butler) ને તેમનું સંપાદન કાર્ય સેંચ્યું. તેમણે, ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપીગ્રાફીઆઈન્ડિકાને બીજા ભાગના છઠા પ્રકરણમાં, પિતાના વક્તવ્ય સાથે, એ લેખે પ્રકટ કર્યા છે.
3. બુલ્ડરનું એ લેના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે. -