________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૭૨).
[ ગિરનાર પર્વત -~ ~~-~~- ~~ ~- ~~-~~ ~-~--~~-~~~-~~-~(ખંભાત), દર્ભવતી (ડભેઈ) અને ધવલક ( ધોળકા ) આદિ નગરમાં, તથા અન્ય સમસ્ત સ્થાનમાં પણ કેડે નવા ધર્મસ્થાને બનાવ્યાં અને ઘણા જીર્ણોદ્ધાર કર્યા.
, તથા સચિવેશ્વર વસ્તુપાલે, આ (ગિરનાર) પર્વત ઉપર પોતે કરાવેલા, શત્રુંજય મહાતીર્થવતાર શ્રી આદિતીર્થકર ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, + સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને નામનું ગામ છે, તે છે. થાંભણ ” એ પ્રાકૃત “ઘંભણય ” નુંજ રૂપાન્તર છે. અભયદેવસૂરિએ, એ જ ઠેકાણેથી “ગતિકુળ” એ આદિ વાયવાળું પાર્શ્વનાથ તેત્ર રચી, પલાશના વૃક્ષની ઘટા નીચે ભૂતલમાં દટાએલી પ્રાર્થ નાથની પ્રતિમા પ્રકટ કરી હતી. અને એ ગામના નામથી જ તે મૂર્તિની “તંભનક-પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધિ થઈ. સ્વયં અભયદેવસૂરિએ પિતાના
સ્તોત્રમાં પણ નિતિ ! પણ ! થપુરીઝ !— (સ્તંભનપુર સ્થિત છે પાર્શ્વજિનેશ્વર ! ) આવો ઉલ્લેખ કરી તે મૂર્તિને “ સ્તંભનકપાર્શ્વનાથ” તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાને “સ્તંભનક”
અને સ્તંભતીર્થ' બંનેને એકજ (ખંભાત જ) સમજે છે, પરંતુ - તે ભૂલ છે. આ ઘોટાળે પાછળથી તંભનકપાશ્વનાથની મૂર્તિ જ્યારે
“ સ્તંભનકપુર” માંથી લાવી “ સ્તંભતીર્થ ' ( ખંભાત ) માં સ્થાપન - કરવામાં આવી, તેના લીધે થયેલ છે. કારણ કે વર્તમાનમાં “સ્તંભનકપાર્શ્વનાથ”ની પ્રતિમા પણ “સ્તંભતીર્થ” માં જ વિદ્યમાન હવાના લીધે તેને જ “સ્તંભનક’ સમજવાની ભૂલ ઉભી થઈ છે. મેરૂતુંગસૂરિએ, વિ. સં. ૧૪૧૩ માં “ક્તમનાથ-વત્તિ' નામને એક ગ્રંથ બનાવ્યો છે કે જે ફકત પાટણના એક ભંડારમાં અપૂર્ણરૂપે વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કેસં. ૧૩૬૮ ર વિખ્ય તંમત સામાચતિમ. (સં. ૧૩૬૮ માં આ -તંભનકપાર્શ્વનાથનું–બિંબ સ્તંભતીર્થ (ખંભાત) માં આવ્યું છે. આ ઉલેખથી જણાશે કે વસ્તુપાલના સમયમાં તો સ્તંભનપાર્શ્વનાથ મૂળ સ્થાન ( સ્તંભનકપુર) માં જ વિરાજમાન હતા અને તેથી એ મહામાત્યે તે ગામમાં મંદિર બનાવ્યું હતું.
+ “સત્યપુર” તે મારવામાં, ડિસા પ્રાંતમાં આવેલું હાલનું “સાર” ગામ છે, તે છે. સાર ડિસા કંપથી વાયુદણમાં ૨૦ ગાઉ ઉપર આવેલું છે. સત્યપુર” નું પ્રાકૃતરૂપ “સચ્ચઉર થાય છે અને તેનું જ અપભ્રષ્ટ “સાર છે.