________________
લાલરાઈને લેખને. ઉ૪૭ ]
( ર૩૭)
: આ
અવલેકને..
ܙܪܬܟܪܟܟܙ
જૂનર એ ગુજરત્રા (ગુજરાત) હે જોઈએ. નં. ૩ માં સૂચવ્યા પ્રમાણે “દા” ને અર્થ એક જાતનું માપ થાય છે. અને નવા ને. અર્થ તે. જવ (ધાન્ય) થાય છે એ સ્પષ્ટ જ છે.. ' - આ લેખની મિતિ સંવત્ ૧૨૩૩ ષ્ટ વદિ ૧૩ ગુરૂવારની છે અને નવૂલમાં રાજ્ય કરતા મહારાજાધિરાજ શ્રી કલ્હણદેવના વખતમાં આ લેખ કરવામાં આવ્યું છે. આગળ એમ વર્ણન કર્યું છે કે સિનાણયના અધિપતિ (“ભકતૃ”) રાજપુત્ર લાખેણપાલ્ડ (લ) તથા રાજપુત્ર અભયપાલ, તેમજ નડેલના તામ્રપત્રમાંનું દાન કરનાર અને કેહણના ન્હાના ભાઈ કીતિપાલના પુત્ર તથા રાણી મહિબલદેવી, એ બધા મળીને શાંતિનાથદેવને ઉત્સવ ઉજવવાને માટે ગ્રામ્યપંચ (“f ') ની સમક્ષ એક ભેટ અર્પણ કરી કેભડિયાઉવ ગામના ઉરહારી (ગરગડીવાળા કુવા) થી ઉપજતા (પાકતા) જવને એક હારક (“ગુઝરાત્રા” ના દેશમાં વપરાતું મા૫) હમેશાં આપવામાં આવશે. સાક્ષિઓનાં નામે જતાં રહ્યાં છે. '
. . આ લેખમાં જણાવેલ સિનામુવ જેને નં. ૧૬ માં સરનાણુક કહ્યું છે તે તથા નં. ૧૪ માં વર્ણવેલું સેના, એકજ હોવું જોઈએ.
ભડિયાઉવ પણ નં. ૧૬ માં આવેલું છે અને તે લાલરાઈથી નેત્રાત્ય છે કેણમાં પાંચ માઈલને છેટે આવેલું બડવા (બરવા) છે. સમીપાટી
જે ૧૩ મી પંકિતમાં આવેલું છે તે સેવાડિ છે એમ ઉપરના લેખમાં જણાવેલું જ છે. ગુજરાત્રા નં. ૧૬ માં આવેલું છે અને તે ભેજદેવ પ્રથમના પ્રતિહારવાળા દોલતપુરા લેખમાં વર્ણવેલો ગુર્જરત્ર હવે, જોઇએ કે જે હાલના પર્બતસાર, મરેટ અને ડીડવાણાના મુલકમાં છે. નડ્રલ એ નાડેલ જાણવું જોઈએ.
( ૩૪૮ ) આ લેખ પણ ઉકત પુસ્તકમાંથીજ લીધેલ છે અને એનું વર્ણન તે પણ ત્યાંથી જ અનુવાદિત કરી નીચે આપવામાં આવે છે