________________
maininnunnnnnnnnnnnnnn
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૪૦)
આબુ પર્વત meninnertiannnnnnnnen કહ્યા પ્રમાણે વીજ જેને દશસ્પન્દન (દશરથ) કલા છે તેને ચાર પુત્રો હતા-લાવણ્યકર્ણ, લંદ (કુંટિગ), લમણ, અને પૂર્ણવર્માન આમાંને લાવણ્ય કણું “ ભેઠ” છે એમ સ્પષ્ટ કહેલું છે. હાલના લેખ પ્રમાણે વીજાને ત્રણ પુત્રો હતા તેમાં “ આદ” લુણિગ હતો. લેખમાં લુણિગ પછી લું અને લુમ્ભ આપેલા છે પણ એમ નથી કહેલું કે તેઓ તેના નાના ભાઈ હતા અગર તેઓને કોઈ પણ જાતને સંબંધ હતો. લુંટિગદેવના લેખની હકીકતમાં મેં લુણિગ અને લાવયકર્ણને એક ગણેલા છે, અને લુંઢ તથા લુભને ભાઈઓ ગણી લંદને લુંઢ ( લુટિગ ) અને લુખ્ખને લાવણ્યવિમેન કહે છે. બીજા લેખે જડી આવશે જેના ઉપરથી મારૂ ખરા પણું અગર બોટા પણું બહાર આવશે. વળી મારે કહેવું જોઈએ કે મારા મિત્ર મી. ઓઝા જેમનું પિતાના દેશનું જ્ઞાન અગાધ છે તેમના કહેવા પ્રમાણે લુણિગ, લું% અને લુભ ( લુભક ) એકજ માણસનાં નામ છે. અને જે બધાં “લુમ્સ' શબ્દના સંસ્કૃત રૂપ છે અને જે “આબુનો પ્રખ્યાત જીતનાર “રાવલંભા” ” નું નામ છે. જે મી. ઓઝાનું કહેવું ખરૂં હાથ તે ઉપર પાન ૮૩ ઉપર પ્રસિદ્ધ થએલી વંશાવળીની છેલ્લી લીટીઓ ફેરવવી પડે. મારી જેમ મી. ઓઝા પણ તિહુણક ( તિહુણ) તેજસિંહને નાનો ભાઈ છે એમ કહે છે; પણ તેમના મત પ્રમાણે તેજસિંહના પુત્ર કાદેવ સાથે આ બંનેને લૂંટિગ (લુંદ, લુણિગ, લુખ્ખ) ની નીચે મૂકે છે.
ત્યારે આ લેખ વિ. સં. ૧૩૭૮ માં રચાય ત્યારે લુક્ષ્મ મરણ પામ્યો હતો, અમે તે વખતે આબુને રાજ્યકારભાર તેજસિંહ ચલાવતા હશે.
આલેખના ત્રીજા વિભાગમાં (કડી ૨૪–૩૮) જે માણસોએ દેવળ સમરાવ્યું (લલ્લ અને વીજડ) તેમના વંશના માણસેનાં કેટલાંક નામ વિષે કહેલું છેબીજું કાંઈ વધારે નથી. એ નામે નીચે પ્રમાણે -- ..