________________
પહેલા ટેકો આપે. પણ પાછળથી લોકો પ્રશ્ન કરતા થઈ ગયા. કારણ કે કોઈકે એમ કહી દીધું કે આ મંડળ ધનિકોની પ્રતિષ્ઠા તોડવામાં માને છે.
આજે ધનિકોની પ્રશંસા એટલી હદે થાય છે કે ન પૂછો વાત! લોકે દાનની વાહવાહથી ધન પેદા કરવાના અનિચ્છનીય માર્ગે વળે છે અને તેને પ્રોત્સાહન મળે છે. પરિણામે ગરીબી અને અમારી વચ્ચેની દિવાલ વધે છે.
માટલિયાજી:–તખ્તીથી (લગાડવાથી) લેક ખૂબ નાણું આપે છે કારણ કે એમેર તેની બેલબાલા છે. આપણું આદર્શોમાં એ પ્રતિષ્ઠાને તેડવાની વાત હેઈ આપણી રચનાત્મક સંસ્થાઓને મુશ્કેલીઓ પડે છે. તે પણ એક તપ છે એવું મને લાગે છે. ધનની પ્રતિષ્ઠા તેડવા માટે આકરી કે કડવી ભાષા કરતાં પ્રેરણાદાયક મધુર ભાષા વધુ અસર કરે છે.
એક સભામાં એક દાનદાત્રી બહેનની ઘણી જ તારીફ થઈ. કાવ્યો ગવાયાં. મને પણ કંઈક બોલવાનું સૂચન થયું. ત્યારે મેં તે નમ્રભાવે કહ્યું : “એ બહેને તે ભગવદ્ ભગત છે અને બ્રહ્મને સમપિત થયાં છે. હવે તમે ભગવાનને બદલે બહેનની તારીફ કરે છે તો બહેનને એમ દુઃખ નહીં થાય કે ભગવાનની તારીફ ભૂલીને તેની પોતાની તારીફ કરે છે ?”
આની સારી એવી અસર સભામાં થઈ હતી.
આજે શિબિરાર્થી બહેને એ પણ દાનની તારીફ સામે અસરકારક કહેવાવું જ જોઈએ એમ એકી અવાજે કહ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com