________________
૧૮૭
બીજું કારણ એ છે કે એ લગભગ બધા ધર્મોના પ્રતીક જેવું બનીને સમન્વય સાધતું ઊભું રહે છે. સાથે જ બધા પ્રકારના માને અને સૃષ્ટિ વચ્ચે સુમેળ બાંધવા માટે દીવાસ્તંભ જેવું છે. તે ઉપરાંત તે બધાને માન્ય છે.
ખ્રિસ્તી ધર્મમાં તેને વિશ્વપ્રેમ રૂપે રજૂ કરવામાં આવેલ છે. એમાંથી માનવસેવા નીકળી છે. પ્રેમ શબ્દ આજે મેહ કે વિકારરૂપે વપરાય છે તે યોગ્ય ભાવને પ્રગટ કરતા નથી. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહાર છે. એમાંથી મધ્યમ માર્ગના કારણે કરૂણ નીકળી છે પણ તેમાં પૂર્ણ અહિંસાને વિચાર સ્પષ્ટ થતું નથી. એવી જ રીતે હિંદુ ધર્મમાં “અદૈત” હેવા છતાં વહેવારમાં માનવ-માનવ વચ્ચેના ભેદભાવ, ઘણું અને દ્વેષ જોવામાં આવે છે. જૈન ધર્મમાં વિશ્વમૈત્રી અને અહિંસા છે પણ તેને મોટો ભાગ નિષેધાત્મક રૂપે છે. આથી વિધેયાત્મક રૂપ તરફ (સેવા, સંવેદના અને માનવીય કરૂણા પ્રતિ) બરાબર ધ્યાન અપાયું નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીએ અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વગેરે વ્રતો વિધવાત્સલ્યના પૂરક તરીકે મૂક્યા છે ખરા, પણ આ બધા વ્રતને મૂળભૂત હેતુ જે વિશ્વવા સત્ય છે તે પ્રગટ થતું નથી; કારણકે એને અનુલક્ષીને વ્રતોને વિચાર થયે નથી જે વિશ્વ વાત્સલ્યને મૂળવ્રત રૂપે લેવામાં આવે તે જ માનવ-માનવ વચ્ચેની ગમે તે પ્રકારની દીવાલો હશે તે તૂટશે. સંઘર્ષો ઓછાં થશે
અને દરેકને શાતિ અને સુખથી જીવન જીવવાની તક મળશે. વિશ્વવાત્સલ્ય ન કેવળ વ્યાપક છે, પણ તે બધા ધર્મો, જાતિઓ, મતે, વિચારપ્રવાહે વગેરેના સમન્વયનું ધર્મદષ્ટિએ પોષક પણ છે અને એટલે જ તે અહિંસાનું વિધેયાત્મક રૂપે પિષક હોઈને, કરુણા, સેવા-મિત્રી, ભાતભાવ, બંધુભાવ કે અદ્વૈતભાવ; દરેકને વહેવારિક રીતે આચરણમાં મૂકવા પ્રેરે છે. એટલે બધા ધર્મોના વ્રતને (અહિંસા વ.નો) એમાં સમાવેશ. થઈ જાય છે, એવી તેની વ્રત ઉપવ્રતની રચના છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યને એક મૂળવ્રતે ન લેવામાં આવે ત્યાં સુધી વિશ્વપ્રેમ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com